દોસ્તીથી આગળ વધશે અનુજ અને અનુપમાની વાત, વનરાજ અને કાવ્યાનો થશે ડિવોર્સ
રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા સ્ટારર ટીવી શો ‘અનુપમા’માં હવે એક ખાસ ટ્વિસ્ટ આવવા માટે તૈયાર છે. નિર્માતાઓએ શોનો એક વીડિયો જાહેર કર્યો છે, જેને જોયા બાદ #MaAn ના ચાહકો ખુશીથી ઉછળી જશે. કારણ કે હવે બાપુજી પોતે અનુપમા સાથે અનુજ વિશે વાત કરવાના છે. હા! તમને જાણીને નવાઈ લાગશે પણ હવે અનુજ-અનુપમાની લવસ્ટોરીને બાપુજીના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે.
બાપુજીએ અનુપમાને કહી આ વાત
આમ તો હાલ શોમાં ઘણું નેગેટિવ વાતાવરણ દેખાઈ રહ્યું છે. પરંતુ આ બધા ગભરાટ અને ખળભળાટ વચ્ચે, શોનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારણ કે હવે બાપુજી તેમના પિતા તરીકેની ફરજ નિભાવવાના છે. અનુજના પ્રેમને સમજવા તે અનુપમા સાથે વાત કરશે. જુઓ આ વીડિયો.
અનુજને મનમાં વસાવશે અનુપમાં?
View this post on Instagram
વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે શોમાં ટૂંક સમયમાં જ તે સીન આવશે જ્યારે બાપુજી અનુપમાને કહેશે કે કાન્હા જી અનુજને તેના જીવનમાં લાવ્યા છે, પરંતુ તેને તેના મનમાં આવવા દેવાનું તેના હાથમાં છે. તે કહેશે ‘અનુપમા, તું અનુજને તારા મનમાં આવવા દે.’ બાપુજીની વાત સાંભળીને અનુપમા ચોંકી જશે.
કાવ્યા અને વનરાજની તૂટશે જોડી?
વીતેલા દિવસોમાં આપણે જોયું કે કાવ્યા સોમવારે ઘરના કાગળો બતાવવાની છે. તેને શાહ હાઉસ પર કબજો કર્યો છે. હવે આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે કાવ્યા દોડતી આવે છે અને વનરાજને વળગી જાય છે. તે વનરાજની માફી માંગે છે. પણ વનરાજ મનમાં એક સંકલ્પ લે છે કે તે તેના પરિવારને બદલીને બતાવશે. તે એવો વનરાજ બનશે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. તો હવે વનરાજના મનમાં શું ચાલી રહ્યું છે તે તો સમય જ કહેશે.
ક્યારે આવશે આ એપિસોડ
આ વીડિયોને જોતા એવું લાગે છે કે આ સોમવારે એટલે કે 22 નવેમ્બરના રોજ બતાવવામાં આવેલા એપિસોડની ક્લિપ છે. કારણ કે કલાકારોમાંના દરેક પાસે શનિવારના એપિસોડ જેવા જ કપડાં છે. તો હવે દર્શકો આવનારા દિવસોમાં #MaAn ની લવસ્ટોરીની શરૂઆત જોઈ શકશે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં જુલાઈ મહિનામાં શરૂ થયેલા અનુપમાં શોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને ટીઆરપી લિસ્ટમાં પણ એ હંમેશા ટોપ પર રહે છે.