દેશમાં કોરોનાએ ફરી પકડી રોકેટગતિ, છેલ્લામાં 24 કલાકમાં સામે આવ્યો ચોંકાવનારા કેસ

કોવિડ રસીકરણ વચ્ચે નોંધાયેલા ઘટાડાને પગલે હવે દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. નવા કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકાર સહિત સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ચેપના 13,993 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસને કારણે 101 લોકોનાં મોત થયાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આ માહિતી આપી છે.

image source

એક્ટિવ કેસોમાં સતત વધારો

દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના નવા કેસો અને એક્ટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જારી કરેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 13,993 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં ચેપનો કુલ આંક વધીને 1,09,77,387 થયો છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 101 દર્દીઓનાં મોત નીપજ્યાં, જેના કારણે દેશમાં કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1,56,212 થઈ ગઈ છે.

દ દેશમાં કોરોનાના લગભગ 14,000 કેસ નોંધાયા

22 દિવસ બાદ દેશમાં કોરોનાના લગભગ 14,000 કેસ નોંધાયા છે. અગાઉ 29 જાન્યુઆરીએ 18,855 કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોનાના કુલ કેસો 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડને વટાવી ગયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, 19 ફેબ્રુઆરી સુધી દેશમાં કોવિડ -19 ના 21,02,61,480 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં શુક્રવારે 7,86,618 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.

દેશમાં 1 લાખ 43 હજાર 127 સક્રિય કેસ

image source

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 1 કરોડ 6 લાખ 78 હજાર 48 સંક્રમિત લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આંકડા મુજબ દેશમાં 1 લાખ 43 હજાર 127 સક્રિય કેસ છે. આ સિવાય રસીકરણને લગતા આંકડા પણ બહાર પાડવામાં આવ્યા છે. છેલ્લા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 7 લાખ 15 હજાર 204 લોકોને રસી આપવામાં આવી છે.

દરરોજ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો

image source

આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 10,307 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં 1,06,78,048 દર્દીઓ કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. દૈનિક ધોરણે નોંધાયેલા કેસોની તુલનામાં દર્દીઓમાં સાજા થવાની સંખ્યામાં ઘટાડો થયો છે. લાંબા સમયથી દરરોજ નોંધાતા નવા કોરોના કેસો કરતા સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધુ હતી, જ્યા ઘણા રાજ્યોમાં લોકડાઉન બાદ જનજીવન ફરી પાટા પર આવી રહ્યું છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર અને કેરળની સ્થિતિ કથળી રહી છે. દેશમાં કોરોના રસીકરણની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1,07,15,204 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!