દીકરા જહાંગીરના નામ પર ઉઠેલા વિવાદ બાદ કરીના કપૂરે તોડ્યું મૌન, કહી દીધી આ મોટી વાત
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના બીજા દીકરાનું સ્વાગત કર્યું હતું. જ્યારથી સેલિબ્રિટી કપલે એમના દીકરાના જન્મની ઘોષણા કરી છે ત્યારથી એમના દીકરાનાં નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે..પહેલા દીકરા તૈમુરના નામ પર વિવાદ થયા બાદ એક્ટ્રેસે બીજા દીકરા જેહનું નામ પણ ટ્રોલર્સના નિશાને છે. લગભગ એક મહિના પહેલા જ કરીના અને સૈફએ એમના બીજા દીકરા જેહના નામની ઘોષણા કરી હતી. પણ હવે એક્ટ્રેસની પ્રેગ્નનસી બુક કરીના કપૂર ખાન કી પ્રેગ્નનસી બાઇબલમાં એમના દીકરાનું અલગ જ નામ સામે આવ્યું છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કરીના કપૂરની બુકમાં એમના બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે. જેવી લોકોને આ વાતની ખબર પડી કે એક્ટ્રેસે પોતાના દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે એવી જ સોશિયલ મીડિયા પર એમનો દીકરો અને પરિવાર ટ્રોલ થવા લાગ્યા. અત્યાર સુધી એક્ટ્રેસે આ અંગે મૌન સેવ્યું હતું પણ હવે પહેલી વાર કરીના કપૂરે એમના બીજા દીકરાના નામ પર થયેલા વિવાદ પર વાત કરી છે.
કરીના કપૂર ખાને એક વાતચીતમાં દીકરા જહાંગીરના નામ પર ફેલાયેલી નેગેટિવિટી પર પ્રતિક્રિયા આપી છે. કરીના કપૂર કહે છે કે હું એક ખૂબ જ પોઝિટિવ માણસ છું. હું ખૂબ જ ખુશ છું. કોરોના જેવા કપરા સમયમાં હું લોકોમાં ખુશી અને પોઝિટિવિટી ફેલાવવા માંગુ છું. હું કોઈપણ પ્રકારના ટ્રોલ કે નેગેટિવિટી વિશે નથી વિચારી શકતી. હવે મારી પાસે મેડિટેશન સિવાય કોઈ રસ્તો નથી.
એમને આગળ કહ્યું કે એ પણ એટલે કારણ કે મને દીવાલ તરફ ધકેલવામાં આવી રહી છે પણ હું હજી પણ ઠીક છું. હું મેડિટેશન કરતી રહીશ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. તો બરાબર છે કે જો પોઝિટિવિટી છે તો નેગેટિવિટી પણ હશે. મારે એને એમ જ જોવું પડશે. કાશ આવું ન હોત. કારણ કે જેમની આપણે વાત કરી રહ્યા છે એ બે માસુમ બાળકો છે. પણ અમે ખુશ અને સકારાત્મક રહેનારા છે.
કરીના કપૂર ખાન કે જેમને હાલમાં જ પ્રેગ્નનસી બુકમાં પોતાની પ્રેગ્નનસી જર્નીનો ખુલાસો કર્યો છે. કરીના કપૂરે એમની બુકમાં પ્રેગ્નનસી દરમિયાન એમના સારા અને ખરાબ દિવસો વિશે વાત કરી છે. એક્ટ્રેસના કહેવા અનુસાર ઘણીવાર કામ પર જવા અમે બેડ પરથી ઉઠવા માટે સ્ટ્રગલ કરવું પડ્યું. કરીનાનું કહેવું છે કે આ બુક એમના હૃદયની ખૂબ જ નજીક છે કારણ કે એમાં એમને બન્ને દીકરા દરમિયાનની પ્રેગ્નનસી વિશે વાત કરી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’માં નજર આવશે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે તે સ્ક્રિન શેર કરતી નજર આવશે. આમિર અને કરિનાને છેલ્લે ફિલ્મ ‘તલાશ: ધ આંસર લાઇઝ વિધિન’માં જોવામાં આવી હતી. આ ઉપરાંત તે કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ કામ કરી રહી છે