લાલ કાપડમાં બાંધી દો એક એલચી અને ઘરમાં મુકી દો આ જગ્યા પર, ક્યારે નહિં પડે પૈસાની તકલીફ અને…
મિત્રો, આપણે ઘણીવાર આપણે લોકોને એવુ કહેતા જોયા છે કે, આપણે અથાગ પરિશ્રમ કરીએ છીએ અને અનેકવિધ કામ પણ કરીએ છીએ પરંતુ, હજુ સુધી અમને કોઈપણ સફળતા મળતી નથી અને તેમને સામાન્ય સુખ-સુવિધાઓ મેળવવા જેટલી રકમ પણ પ્રાપ્ત થતી નથી. છેવટે, આપણે શું કરીએ છીએ? મારા નસીબમા નથી એટલે મને નથી મળતુ. મારા નસીબમા આટલું જ છે એટલે મને આટલુ જ મળ્યુ. બસ આવા જવાબો સાથે પોતાના મનને મનાવી લઇ છીએ.
પરંતુ, આ બધા જ ખોટા જવાબો છે. જો તમને તમારા પરિશ્રમ મુજબનુ ફળ પ્રાપ્ત થતુ નથી તો તેની પાછળ એક નકારાત્મક ઊર્જા પણ જવાબદાર હોય શકે છે, જે તમારા ઘરમા, ભાગ્યમા અથવા જીવનમાં કોઈપણ સમયે પ્રવેશી શકે છે. જો તમે આ નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો કેટલાક હકારાત્મક ઉપાયો છે, જે તમને મદદ કરે છે. તે તમને સૌથી વિશેષ બનાવે છે. તો ચાલો આજે અમે તમને આ લેખમા ઇલાયચી સાથે જોડાયેલો એક જ્યોતિષ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને તમારી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવામા મદદ કરશે.
આ માટે તમારે સૌથી પહેલા તો વહેલી સવારે ઉઠીને સ્નાન કરવુ. ત્યારબાદ તમારે તમારા હાથમા લીલી ઇલાયચીના દાણા લેવા પડશે. ત્યારબાદ તેને તમારા હાથમા લઈ લો અને તમામ ૧૦૮ વાર “ ઓમ શ્રીયે નમઃ” મંત્રનો મંત્રોચ્ચાર કરો. ત્યારબાદ આ મંત્રનુ મંત્રોચ્ચાર પૂર્ણ થાય એટલે તમારા પૂજાઘરમા જઈને કો પણ લાલ વસ્ત્ર કે પોટલી લો અને ત્યારબાદ તેમા ઇલાયચીના બીજ ઉમેરો.
ત્યારબાદ આ ઇલાયચીની પોટલી લો અને ત્યારબાદ તેને તમારા ઘરના કબાટમા મૂકો અથવા તો તેને તમારા ઘરની તિજોરીમા મૂકો. આ ઉપરાંત જો તમે કોઈ અન્ય જગ્યાએ તમારા બધા પૈસા રાખો છો તો તે જગ્યાએ આ ઈલાયચીની પોટલી રાખો. જો તમે આ ઉપાય અજમાવશો તો તમારા ઘરની અથવા તો તમારી ઓફીસની ચારેય તરફ સકારાત્મક ઉર્જાનુ નિર્માણ થાય છે.
આ ઉપાય તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ ઉપાય અજમાવવાથી તમારા ખર્ચમા તો ઘટાડો થશે પરંતુ, તેની સાથે તમારી આવકમા પણ વૃદ્ધિ થશે એટલે કે તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત બને છે તથા તમારા ઘરમા સુખ-સમૃદ્ધિનુ પણ આગમન થશે. આ સમય દરમિયાન તમારે એ ધ્યાનમા રાખવાની જરૂર છે કે, જ્યારે તમે આ ઉપાય અજમાવો છો, ત્યારે કોઈને તેના વિશે ખ્યાલ ના આવવો જોઈએ. આ ઉપાય અજમાવતા સમયે જો તેના વિશે કોઈને ખ્યાલ પડી જાય તો તેનો સકારાત્મક પ્રભાવ તમારા પર પડતો નથી.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,