પિતાને જામીન મળ્યા તો રાજ કુન્દ્રાના દીકરા વિયાને માન્યો ગણપતિ બાપ્પાનો આભાર, કરી આ પોસ્ટ

શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા છેલ્લા 2 મહિનાથી પોર્નોગ્રાફી કેસના કારણે જેલના સળીયા પાછળ છે. સોમવારે, રાજ કુન્દ્રા માટે આ 63 દિવસોમાં પ્રથમ વખત રાહતના સમાચાર આવ્યા હતા.તેમને 50 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. રાજ કુન્દ્રાને જામીન મળવાના કારણે તેના પરિવારના સભ્યો ખૂબ ખુશ છે. શિલ્પા શેટ્ટી બાદ હવે તેના પુત્ર વિઆન કુન્દ્રાએ ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી છે.

image source

વિયાન કુન્દ્રાએ ગણેશ ચતુર્થીનો ફોટો શેર કર્યો છે. જ્યાં ગણપતિ બપ્પાના દરબારમાં શિલ્પા શેટ્ટી તેના બંને બાળકોને ખોળામાં લઈને બેઠેલી જોવા મળી રહી છે. કેપ્શનમાં વિઆને લખ્યું છે કે – ભગવાન ગણેશનું સૂંઢ જેવું લાબું જીવન, તેમના ઉંદર જેવી નાની મુશ્કેલી, મોદક જેવી મીઠી પળ. ગણપતિ બાપ્પા મોર્યા.

image soure

રાજ કુન્દ્રાને જામીન મળ્યા બાદ શિલ્પા શેટ્ટીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેના પરથી અંદાજ લગાવવામાં આવ્યો હતો કે તે તેના પતિને જામીન મળ્યા બાદ કેટલી ખુશ અને રિલેક્સ્ડ છે. ઈન્સ્ટા સ્ટોરી પર પોઝિટિવ ક્વોટ શેર કરતા શિલ્પાએ લખ્યું હતું કે – મેઘધનુષ્ય અસ્તિત્વ ધરાવે છે માત્ર તે બતાવવા માટે કે ખરાબ તોફાન પછી પણ સુંદર વસ્તુઓ થઈ શકે છે. આ છેલ્લા 2 મહિનામાં શિલ્પા શેટ્ટીના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ કોઈ પણ તબક્કે શિલ્પા શેટ્ટી નબળી પડી ન હતી. શિલ્પા શેટ્ટીએ આગળ આવીને પડકારોનો સામનો કર્યો.

image source

શિલ્પા શેટ્ટી શૂટિંગ પર પણ ગઈ અને પરિવાર અને બાળકોનું ધ્યાન પણ રાખ્યું. શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા માટે વૈષ્ણો દેવી મંદિરમાં પણ હાજરી આપી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ શિલ્પા શેટ્ટીએ તેના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી. રાજ કુન્દ્રાની ગેરહાજરીમાં શિલ્પા શેટ્ટીએ પોતાની તમામ જવાબદારીઓ સારી રીતે પૂરી કરી. રાજ કુન્દ્રા કેસમાં પોલીસે શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ નોંધ્યું હતું. શિલ્પા શેટ્ટીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે તેના પતિના બિઝનેસ વિશે કંઇ જાણતી નથી. તે પોતાના કામમાં વ્યસ્ત હતી. રાજ કુન્દ્રાની પોલીસે 19 જુલાઈએ ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રા પર ઘણી મોડલ અને એક્ટ્રેસે એમની અશ્લીલ ફિલ્મો બનાવીને એને ડીઝીટલ પ્લેટફોર્મ પર વેચવાનો આરોપ લગાવ્યો હતો