નાળિયેર તેલ અને લીંબુનું મિક્ષણ આપણી ત્વચા અને વાળ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે, જાણો તેનો ઉપયોગ કરવાની રીત.
જેમ જેમ હવામાન બદલાય છે, તે વાળ અને ત્વચાને અસર કરવાનું શરૂ કરે છે. વરસાદની ઋતુમાં વાળ ખરવાની શરૂઆત થાય છે અને ત્વચા સ્ટીકી થઈ જાય છે. ત્વચાનો રંગ કાળો થવા લાગે છે. આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે નાળિયેર તેલ અને લીંબુનો રસ ખૂબ મદદગાર છે.
આ બંનેનો ઉપયોગ એકસાથે કરવાથી ત્વચા અને વાળની ઘણી સમસ્યાઓમાં ફાયદો થાય છે. આજે અમે તમને જણાવીશું કે લીંબુ અને નાળિયેર તેલનું મિક્ષણ આપણા વાળ અને ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કરવાની રીત અને આ મિક્ષણથી થતા વિશેષ ફાયદાઓ વિશે.
નાળિયેર તેલ-લીંબુનો રસ લગાવવાથી થતા ફાયદા.
1. ત્વચા પર ટેનિંગની સમસ્યા
નાળિયેર તેલ અને લીંબુનું મિશ્રણ ત્વચા પરની ટેનિંગને દૂર કરવામાં ફાયદાકારક છે. સૂર્યપ્રકાશના સંપર્કમાં હોવાને કારણે, શરીર પર
ટેનિંગની સમસ્યા શરૂ થાય છે. જેના કારણે શરીરનો પ્રાકૃતિક ગ્લો દૂર થાય છે. જો તમે પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો
નાળિયેર તેલ અને લીંબુનો રસ તમારા માટે ખુબ ઉપયોગી થઈ શકે છે.
ઉપયોગની રીત
3 ચમચી નાળિયેર તેલ અને અડધા લીંબુનો રસ મિક્સ કરીને આખા શરીરમાં લગાવો. જ્યાં વધારે ટેનિંગ હોય ત્યાં તેને સારી રીતે ઘસવું.
આ મિશ્રણ લગાવ્યા પછી લગભગ 10-15 મિનિટ પછી સ્નાન કરો. આ મિક્ષણનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
તમારા શરીર પર કંઈપણ અજમાવવા પહેલાં પેચ ટેસ્ટ કરો. કેટલાક લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે, તેથી એલર્જી પણ થઈ શકે છે.
ત્વચાના ટેનિંગને દૂર કરવામાં નાળિયેરનું પાણી પણ ફાયદાકારક છે.
2. વાળ ખરવાની સમસ્યા દૂર કરો
વરસાદની ઋતુના આગમન સાથે વાળ ખરવાની સમસ્યા વધવા લાગે છે. આ સમયમાં વાળ મૂળમાંથી તૂટી જાય છે. બીજું, ડેંડ્રફ વધે છે,
જેના કારણે વાળ વધુ તૂટી જાય છે. બદલાતા હવામાનની સાથે, જો તમને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો
નાળિયેર તેલ અને લીંબુ તમને ખૂબ મદદ કરશે. નાળિયેર તેલમાં વિટામિન કે, ઇ અને લીંબુમાં વિટામિન સી જોવા મળે છે. આ બંને
ગુણધર્મો તંદુરસ્ત અને મજબૂત વાળ માટે જરૂરી છે.
ઉપયોગની રીત
3 ચમચી નાળિયેર તેલ લો અને તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણ સ્નાન કરતા 20 મિનિટ પહેલા વાળ પર લગાવો.
વાળના મૂળમાં આ મિક્ષણથી સારી રીતે માલિશ કરો. 20 મિનિટ પછી તમારા વાળ ધોઈ લો. તમે આ મિશ્રણને અઠવાડિયામાં બે વાર
લગાવી શકો છો. ધ્યાનમાં રાખો કે વાળમાં આખી રાત કોઈ તેલ ન લગાવવું જોઈએ. સ્નાન કરતા 20 અથવા 30 મિનિટ પહેલાં લગાડો.
લાંબા સમય સુધી તેલ લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા વધે છે.
3. વાળને ચમકદાર અને જાડા બનાવો
નારિયેળ તેલ અને લીંબુનો રસ વાળ ખરવા, ડેન્ડ્રફ અથવા વાળ તૂટવા જેવી અનેક સમસ્યામાં ફાયદાકારક છે. વાળ સતત ખરવાના
કારણે વાળ પાતળા થાય છે. જેના કારણે વાળ સુકા અને નિર્જીવ બને છે. નાળિયેર તેલ અને લીંબુનો રસ આ સમસ્યાઓ દૂર કરવામાં
મદદ કરે છે. નાળિયેર તેલ અને લીંબુના રસથી માથાની ચામડીની માલિશ કરવાથી માથા પરની ચામડી શુદ્ધ થાય છે અને જયારે તમે
તમારા વાળ ધોવો છો, ત્યારે તમારા વાળ ચમકદાર બને છે.
4. વાળ સફેદ થતા નથી
શરીરમાં રહેલા ઘણા વિટામિન્સ અને ખનિજોના અભાવના કારણે અકાળે વાળ સફેદ થવા લાગે છે, આ સિવાય આનુવંશિક સમસ્યા
પણ હોઈ શકે છે. આ સિવાય તણાવના કારણે પણ અકાળે વાળ સફેદ થવા લાગે છે. નાળિયેર તેલ અને લીંબુમાં એવા ઘણા ગુણધર્મો
હોય છે જે વાળને અકાળે સફેદ થતા અટકાવે છે. નાળિયેર તેલમાં હાજર વિટામિન કે વિટામિન અને એન્ટી ફંગલ ગુણધર્મો વાળને
સ્વસ્થ રાખે છે. તેથી, વાળ અકાળે સફેદ થવાથી બચે છે. બીજું, નાળિયેર તેલ અને લીંબુમાં આવશ્યક પ્રોટીન અને ખનિજો હોય છે, જે
વાળને ખરતા પણ અટકાવે છે.
5. નરમ અને ચમકદાર ત્વચા
જો તમારી ત્વચા પરનો ગ્લો ખરાબ થતો જાય છે, તો નારિયેળ તેલ અને લીંબુ તમારા ચેહરાનો ગ્લો વધારવામાં મદદ કરે છે. આ માટે
નાળિયેર તેલથી ચેહરાની માલિશ કરો, આ કરવાથી તમારું લોહીનું પરિભ્રમણ સુધરે છે, જેના કારણે ત્વચા ગ્લોઇંગ અને નરમ થાય છે.
આવા વિટામિન અને ખનિજો નાળિયેર તેલ અને લીંબુના રસમાં જોવા મળે છે, જે ત્વચા અને વાળની સમસ્યાઓ દૂર કરવામાં
ફાયદાકારક છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમને યોગ્ય ફાયદા મળે છે.