મધુર ભંડારકર મળ્યા ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાને, શું નીરજ ચોપરા કરશે એક્ટિંગ?
ટોકિયો ઓલમ્પિકમાં દેશને એકમાત્ર ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરા સતત ચર્ચામાં છવાયેલા છે.એમની ફેન ફોલોઇંગમાં ગજબનો વધારો પણ થયો છે. તો બીજી બાજુ બૉલીવુડ પણ નીરજ ચોપરાને લઈને ખૂબ જ ઉત્સાહીત છે. ઘણા લોકો એમની બાયોપિકને લઈને ચર્ચા કરી રહ્યા છે. એ દરમિયાન ફિલ્મ ડાયરેકટર મધુર ભંડારકરે એમની મુલાકાત કરી. આ મુલાકાતના ફોટા એમને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં મધુર ભંડારકર અને નીરજ ચોપડા વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. આ મુલાકાત પછી મધુર ભંડારકરે અમુક એવી વાતો જણાવી જે નીરજના ફેન્સને ઉત્સાહિત કરી દેશે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા મધુર ભંડારકરે જણાવ્યું કે 15 ઓગસ્ટે દિલ્લીમાં હતા. એ દરમિયાન એ અમુક એવા લોકોને જાણતા હતા જે એમની મુલાકાત આ ઓલમ્પિક ખિલાડીઓ સાથે કરાવી શકતા હતા. એ પછી મધુર ભંડારકરે એને ફોલો કર્યું અને બધાની મુલાકાત કરી. જો કે એ એમના પર કોઈ ફિલ્મ નથી બનાવી રહ્યા.
મધુર ભાંડરકરનો ખુલાસો.
મધુર ભંડારકરનું કહેવું છે કે મેં નિરજને કહ્યું કે એ સુપરસ્ટાર બની ગયા છે અને હવે દુનિયાભરમાં એમના ઘણા બધા ફેન્સ છે. એ પછી મેં મજાકમાં એમને પૂછ્યું કે તમે દેખાવમાં ખૂબ જ ગુડ લુકિંગ છે તો ક્યારેક ફિલ્મોમાં અભિનય કરવા વિશે વિચાર્યું?
તો એના પર એમને હવાબ આપતા કહ્યું કે હું અભિનય નથી કરવા માંગતો બસ મારા ખેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. એમની સાથે મારી વાતચીતથી મને અહેસાસ થયો કે એમની પાસે આગળનો એક સારો રોડમેપ છે. એમને મને કહ્યું કે એ દેશ માટે હજી ઘણું બધું હાસિલ કરવા માંગે છે. નિરજની જેમ મીરાબાઈથી મળીને મને પણ ખુશી તુઈ, એ ઓલમ્પિકમાં જીત પછી ભારતના લોકો પાસેથી મળેલી પ્રતિક્રિયા અને પ્રેમથી અભિભૂત હતી.
તમને જણાવી દઈએ કે આ વર્ષે નીરજ ચોપરા ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને લાવ્યા હતા અને મીરાબાઈ ચાંનુએ સિલ્વર મેડલ જીતીને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે..બન્ને જ ખિલાડીઓને દેશવાસીઓનો ખુબ જ પ્રેમ અને સમ્માન મળી રહ્યું છે.
View this post on Instagram
નીરજ ચોપરાની બાયોપિકની ખબરો આમ તો ઘણા દિવસથી ચર્ચામાં છે. હવે જોવાનું એ છે કે નીરજ ચોપરાના જીવન પર આધારિત ફિલ્મ ફેન્સની સામે ક્યારે રજૂ થશે.