કોરોનાનો હાહાકાર: ગુજરાતમાં 3-4 દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો રૂપાણી સરકારને નિર્દેશ, જાણો વધુ વિગતો જલદી…
ભારત સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એવામાં કોરોનાને કાબુમાં લેવા માટે હવે ફરી એકવાર લોકડાઉન થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે કે કોરોનાના વધતા જતા કેસને અટકાવવા માટે નક્કર પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.
તમને જણાવી દઈએ કે કોરોનાના આ વધતા સંક્રમણથી સાવચેત થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદ જિલ્લાનાં અમુક અમુક નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ, મોટા મોટા શહેરોમાં વેપારી એસોસિયેશન એવું માને છે કેરાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડી રહી છે એટલે હવે કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે હવે
વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી કોરોના ઝડપથી કાબૂ આવી શકે.
આ સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને કોરોનાના લોકલ સંક્રમનને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. એવામાં હવે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધુ છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશને સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઊભાં કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઈવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સને વેક્સિન આપવાની પરવાનગી આપવામાં આવે. રાજ્યમાં વેક્સિનેશનને યોગ્ય બનાવવા માટે દરેક જિલ્લામાં કોવિડ ટાસ્કફોર્સની રચના કરવામાં આવે, જેથી વેક્સિન યોગ્ય રીતે થઈ શકે.
અગાઉના લોકડાઉનના કારણે વેપાર ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા એવું ગુજરાતમાં મોટા ભાગના એસોસિયેશનો
માની રહ્યાં છે. હાલ કોરોનાની બીજી લહેરને કાબુમાં લેવા માટે સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાનકર્તા સાબિત થાય છે, ખાસ કરીને હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગોને રાત્રિ કર્ફ્યૂને કારણે વિપરીત અસર પડી છે. એમાં વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ,
એસોસિયેશનનું કહેવું છે કે શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ, જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને એની સાઇકલ તૂટી શકે. ખુદ વડાપ્રધાને પણ મિની લોકડાઉન અંગે વિચારણા કરવા અધિકારીઓને જણાવ્યું છે; ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે એવી સ્થિતિ બની શકે છે.
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.રાજ્યમાં છેલ્લા 44 દિવસથી કોરોનાના નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લે 20 ફેબ્રુઆરીએ કોરોનાના નવા દર્દી કરતાં સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 3, 21, 598ના લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,581 થયો છે તેમજ અત્યારસુધીમાં 3,00, 765 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16252 એક્ટિવ કેસ છે, જેમાંથી 167 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 16,085 દર્દીની હાલત સ્થિર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!