ગુજરાતમાં હોસ્પિટલમાં આગ લાવવાનો સિલસિલો યથાવત: ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગ લાગતા 16નાં કરુણ મોત

ગુજરાતમાં ફરી આગની ઘટના સામે આવી છે. રાજ્યના ભરૂચ શહેરની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોઇને જ્વાળાઓ આઈસીયુ વોર્ડમાં પહોંચી ગઈ. ભીષણ આગ જોઈને હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી. ઝડપથી, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલના દર્દીઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા. આ ગંભીર અકસ્માતમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે.

image source

આ ઘટના શુક્રવારે રાત્રે 12.30 ની આસપાસની હોવાનું કહેવાઈ રહ્યું છે. ભરૂચના પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એવું કહેવામાં આવ્યું છે કે જ્યાંથી આગ શરૂ થઈ તે સ્થળે આઇસીયુ વોર્ડ હતો. આગ એટલી ઝડપથી ફેલાવા લાગી કે, દર્દીઓને બહાર કાઢવા માટે બહુ ઓછો સમય મળ્યો હતો. દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં દર્દીઓ જ્વાળાઓમાં ભરાઈ ગયા હતા. તે જ સમયે કોવિડ કેર સેન્ટરમાં આગની બાતમી મળતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચવા લાગ્યા હતા. તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ શરૂ કરાયું છે.

image source

ભરૂચના જે કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી તેના ટ્રસ્ટી ઝુબેર પટેલે જણાવ્યું હતું કે આ ઘટના ફક્ત આપણા માટે જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસની મદદથી અમે દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આગની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 14 દર્દીઓ અને બે સ્ટાફ નર્સો, કુલ 16 લોકોના મોત થયા છે. તો બીજી તરફ હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગે ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા. ચારે તરફ અફરા તફરી ફેલાઈ ગઈ હતી.

image source

કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વોર્ડમાં લગભગ 49 દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી 24 દર્દીઓ આઈસીયુમાં હતા. ભરૂચ કલેકટરના જણાવ્યા મુજબ, ભીષણ આગને કારણે 16 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘાયલોને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ઉતાવળમાં પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાલી કર્યા પછી, અહીંના દર્દીઓને પણ બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે જ સમયે, તે જાણવા મળ્યું નથી કે આગ કયા કારણોસર છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

image source

તો બીજી તરફ આ આગની ઘટના બાદ સીએમ રૂપાણીએ દુઃખદ વ્યક્ત કરી મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇએએસ અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને ઘટનાની તપાસ કરવા આદેશ આપ્યા છે. આ તપાસ બાદ જ આગની ઘટના અંગે સત્ય બહાર આવશે.

image source

નોંધનિય છે કે આ ગુજરાતમાં આ પહેલા પણ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી ચુકી છે. ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે.

image source

છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે. છતા પણ તંત્ર આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરી શક્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!