રીંગણના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, વાંચો આ લેખ અને જાણો સ્વાસ્થ્યના લાભ…
કેટલાક લોકો રીંગણનું નામ સાંભળ્યા પછી નાક અને ભમર સંકોચવા લાગે છે, પરંતુ આરોગ્ય માટે રીંગણ ઘણું બધું ધરાવે છે. તેમાં વિવિધ પ્રકારના વિટામિન્સ અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો છે. રીંગણ ને બેંગન પણ કહેવામાં આવે છે. જોકે કેટલાક લોકો તેને શાક તરીકે ગણે છે પરંતુ, તે ફળોના પરિવારમાં આવે છે. રીંગણા વિટામિન્સ, ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, મેંગેનીઝ, ફોલેટ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર છે.
રીંગણામાં નાની માત્રામાં નિઆસિન, મેગ્નેશિયમ અને કોપર પણ હોય છે. રીંગણામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. હેલ્થલાઇન ના સમાચારો અનુસાર, એન્ટીઓકિસડન્ટ શરીર ને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે. મુક્ત રેડિકલ શરીરમાં પેશીઓ ને નુકસાન પહોંચાડે છે.
એન્ટી-ઓક્સિડન્ટ્સ ઘણા પ્રકારના ક્રોનિક રોગો સામે રક્ષણ આપે છે. રીંગણમાં એન્થોસિયનિન હોય છે, જે એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર રંગ દ્રવ્ય છે. રીંગણ હૃદયના સ્વાસ્થ્યને સ્થૂળતા માટે મટાડવામાં મદદરૂપ છે. હવે તેના ફાયદા ઓ વિશે જાણો.
રીંગણ હૃદયની તંદુરસ્તીને સ્વસ્થ રાખે છે :
રીંગણા એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો ને કારણે તે હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓને અટકાવે છે. રીંગણા નું સેવન હાર્ટ એટેક, સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. એક અભ્યાસમાં હાઈ કોલેસ્ટ્રોલ વાળા ઉંદર ને બે અઠવાડિયા માટે દસ મિલી જ્યુસ આપવામાં આવ્યું હતું, તેથી તેનાથી આશ્ચર્યજનક રીતે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટ્યું હતું.
બ્લડ સુગર ને પણ નિયંત્રિત કરે છે :
રીંગણ બ્લડ સુગર ને પણ નિયંત્રિત કરે છે. રીંગણમાં ખૂબ ફાઇબર હોવાથી તે ખાંડના વિસર્જન અને શોષણ ની ગતિ ઘટાડે છે. ખાંડના ધીમા શોષણ ને કારણે બ્લડ સુગર નિયંત્રિત થાય છે.
તે સ્થૂળતાને પણ કાબૂમાં રાખે છે :
રીંગણમાં ખૂબ ફાઇબર હોય છે અને તેમાં કેલરી પણ ખૂબ ઓછી હોય છે. આના કારણે તે સ્થૂળતાને કાબૂમાં લે છે. તે ફાઇબરની માત્રા ને કારણે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જ્યારે તેમાં જોવા મળતા સૂક્ષ્મ પોષક તત્વો લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને વજન જાળવવામાં મદદ કરે છે.
પાચનતંત્રનું ધ્યાન રાખે :
રીંગણ પાચનતંત્ર ને યોગ્ય રાખે છે. તેમાં ખૂબ ફાઇબર હોય છે. દૈનિક આહારમાં રીંગણ નો સમાવેશ કરીને કબજિયાત અથવા પેટની સમસ્યાઓને દૂર કરી શકાય છે.
વધારે આઈરનને દૂર કરે :
રીંગણ નું નિયમીત સેવન કરવાથી શરીરમાં રહેલું વધારે આઇરન ઓછું થઈ જશે. પોલીસિથેમિયાના દર્દી માટે આ ખૂબ જ ફાયદાકારક છે. રીંગણમાં નાસુનિન નામનું એક રસાયણ મળી આવે છે જે વધારે આઈરનને દૂર કરવામાં મદદ કરે છે.
ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે :
રીંગણ તમારા ઈમ્યૂન સિસ્ટમ ને પણ મજબૂત કરશે. તેનાથી તમે સ્વસ્થ રહેવાની સાથે-સાથે ફિટ પણ રહેશો. તેમાં મળી આવનાર ફાઈટોન્યૂટ્રીએન્ટ અને વિટામીન સી થી શરીરને ઘણો ફાયદો મળે છે.