સારી ઊંઘ મેળવવા અને તમારું જીવન સફળ બનાવવા માટે સુતા પેહલા આ 10 આદતો અપનાવો
આપણે 24 કલાકમાંથી ઓછામાં ઓછા 8 કલાક પથારીમાં સૂઈએ છીએ. ઊંઘ આપણા જીવનનો એક મહત્પૂર્ણ ભાગ છે. કારણ કે જો ઊંઘ સારી હશે, તો આપનો દિવસ સારો જશે. ઊંઘ પુરી ન થવાથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી આપણે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. પરંતુ ઊંઘતા પેહલા પણ થોડી આદતો અપનાવવી જોઈએ, જેથી આપણને જીવનમાં સફળતા મળે છે અને આપણને ઊંઘ પણ વહેલી આવે છે.
ઘણા લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડિત હોય છે. જો તમે અહીં જણાવેલી ટિપ્સ અપનાવશો તો તમારી અનિંદ્રાની સમસ્યા તો દૂર થશે જ સાથે તમને તમારા જીવનમાં પણ પ્રગતિ મળશે. તેથી ઊંઘતા પહેલા શું કરવું તે જાણવું અગત્યનું છે, કારણ કે આ આદતો પર જ આપણું ભવિષ્ય છે. તો ચાલો અમે તમને જણાવીએ તમારે ઊંઘતા પેહલા કઈ આદતો અપનાવવી જોઈએ.
1. જે પલંગ પર આપણે 6 થી 8 કલાક સુઈએ છીએ, જો તે આપણી પસંદની છે, તો શરીરની બધી સમસ્યાઓ અદૃશ્ય થઈ જાય છે. દિવસનો થાક ઉતરી જશે. તેથી, પલંગ સુંદર, નરમ અને આરામદાયક હોવો જોઈએ, પરંતુ તે પણ મજબૂત હોવો જોઈએ. ચાદર અને ઓશીકાનો રંગ પણ એવો હોવો જોઈએ કે તે આપણી આંખો અને મગજમાં આરામ લાવે.
2. દરરોજ સુતા પેહલા તમારા રૂમમાં કપૂર સળગાવો. કારણ કે કપૂરની સુગંધ આપણા મન અને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ સુગંધથી તમને ખૂબ જ સારી ઊંઘ આવશે સાથે જ તમામ પ્રકારના તણાવ નાબૂદ થઈ જશે. કપૂરના અન્ય ઘણા ફાયદાઓ પણ છે.
3. સૂતા પહેલા, તમે તે વિશે મનમાં વિચારો જે તમારે જીવનમાં જોઈએ છે, નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં, કારણ કે સૂવાનો સમયની 10 મિનિટ ખૂબ સંવેદનશીલ હોય છે જ્યારે તમારું અર્ધજાગૃત મન જાગવાનું શરૂ કરે છે અને ઉઠ્યા પછીની ઓછામાં ઓછી 15 મિનિટ પણ ખૂબ જ સંવેદનશીલ છે. આ સમય દરમિયાન તમે જે વિચારો છો તે વાસ્તવિક જીવનમાં બનવાનું શરૂ કરે છે. તેથી આ સમય દરમિયાન સકારાત્મક બાબતો જ વિચારો.
4. જો તમે સૂવા જઇ રહ્યા છો તો પછી તમારા પગ કઈ દિશામાં છે તે પણ નક્કી કરો. દક્ષિણ અને પૂર્વમાં ક્યારેય પગ રાખશો નહીં. પગને દરવાજાની દિશામાં ન રાખો. આનાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું નુકસાન થાય છે. માથું પૂર્વ દિશામાં રાખીને સૂવાથી જ્ઞાન વધે છે. દક્ષિણમાં માથું રાખીને સૂવાથી શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે.
5. ખરાબ મોં અને ખરાબ પગ સાથે ક્યારેય ના સૂવું જોઈએ. તમારે હંમેશા હાથ, પગ અને મોં ધોઈને જ તમારા પલંગ પર જવું જોઈએ.
6. ક્યારેય પણ બીજાના પલંગ, તૂટેલા પલંગ પર અને ગંદા મકાનમાં ન સૂવું જોઈએ. આ તમારા વિચારોને અસર કરી શકે છે.
7. એવું કહેવામાં આવે છે કે સીધા સુવે યોગી, ડાબું સુવે એ નિરોગી, જમણું સુવે એ રોગી. શરીર વિજ્ઞાન કહે છે કે સીધું સૂવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે, જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન થાય છે. તેથી હંમેશા ડાબી બાજુ સૂવું જ ફાયદાકારક છે.
8. રાત્રિભોજન સૂવાના સમયે 2 કલાક પહેલાં કરો. તમારું રાત્રિનું ભોજન હળવું સાત્વિક હોવું જોઈએ.
9. સારી ઊંઘ માટે જમ્યા પછી વજ્રાસન કરો, ત્યારબાદ ભ્રમરી પ્રાણાયામ કરો અને અંતે શવાસન કરતી વખતે સૂઈ જાઓ.
10. સૂતા પહેલા, એકવાર તમારા ભગવાનનું ધ્યાન કરો અને પછી પ્રાર્થના કરો અને સૂઈ જાઓ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!