નિયમિત કરો આ એક ચીજવસ્તુનુ સેવન અને મેળવો કોરોના જેવી જીવલેણ બીમારીઓ સામે રક્ષણ…
મિત્રો, આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ચમત્કારીક ગુણતત્વો વિશે ભાગ્યે જ કોઈ નહિ જાણતુ હોય. આ વસ્તુ છે ચ્યવનપ્રાશ. આ વસ્તુમા પુષ્કળ માત્રામા આયુર્વેદિક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ થાય છે અને જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમે કોરોનાથી માંડીને અનેકવિધ ગંભીર બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો.
આ વસ્તુનુ નિયમિત સેવન નિયમિત કરવાથી તમને ઈનફર્ટિલિટી, એજિંગની સમસ્યા અને ઈન્ફેક્શનની સમસ્યા સામે રક્ષણ મળી રહે છે. આ સિવાય તે હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ, શરદીની સમસ્યા, ઉધરસની સમસ્યા, છાતીમા દુઃખાવો વગેરે સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે.
આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટીએજિંગ તત્વ હોય છે, જે સંપૂર્ણપણે આયુર્વેદિક હોય છે. આ વસ્તુની મુખ્ય સામગ્રીમા આમળા સમાવિષ્ટ હોય છે. તેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ પણ માનવામા આવે છે. જો તમે નિયમિત એક ચમચી એટલે કે બાર ગ્રામ જેટલુ ચ્યવનપ્રાશ સેવન કરો તો તમારુ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. નિયમિત વહેલી સવારે બ્રેકફાસ્ટનુ સેવન કર્યા પહેલા અથવા તો રાતે નવશેકા દૂધ સાથે તેનુ સેવન કરવુ. તો ચાલો આજે આ લેખમા આપણે ચ્યવનપ્રાશનુ સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે માહિતી મેળવી લઈએ.
લાભ :
જો તમે નિયમિત આ વસ્તુનુ સેવન શરદી અને ઉધરસની સમસ્યા સામે રક્ષણ આપે છે અને તમારી ઈમ્યૂનિટી પણ મજબુત બનાવે છે. આ સિવાય આ વસ્તુનુ સેવન કરવાથી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે અને પાચન પણ મજબૂત બને છે. આ સિવાય કબજિયાતની સમસ્યામા પણ રાહત મળે છે.
આ સિવાય આ વસ્તુનુ સેવન ફેફસા સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે પણ તમને રાહત આપે છે. આ ઉપરાંત અસ્થમા અને શ્વાસની તકલીફમા પણ તે લાભકારી છે. આ સિવાય આ વસ્તુમા અનેક પ્રકારના હર્બ્સ સમાવિષ્ટ હોવાથી અને તેને ખાવાથી ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે, જેનાથી તમારી સ્કિન ગ્લોઈંગ અને હેલ્થી બની રહે છે.
આ સિવાય નિયમિત ચ્યવનપ્રાશનુ સેવન કરવાથી બોડી ટોક્સિન્સની સમસ્યા પણ દૂર થાય છે અને તે તમારા બ્લડને પણ શુદ્ધ કરે છે. આ સિવાય તેમા સમાવિષ્ટ ઔષધિઓ તમારી સેક્સ સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર રાખવામા સહાયરૂપ સાબિત થાય છે અને ફર્ટિલિટી પણ વધારવામા સહાયરૂપ સાબિત થાય છે.
આ સિવાય જો તમને તણાવની સમસ્યા રહેતી હોય તો ચ્યવનપ્રાશનુ સેવન તમારી આ સમસ્યા દૂર કરશે, તેમા રહેલા હર્બ્સ મગજને તણાવમુક્ત રાખવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ વસ્તુનુ સેવન કરવાથી બાળકોની મેમરી પણ શાર્પ બને છે અને બ્રેઈન ફંક્શન પણ સુધરે છે. તો તમારા રોજીંદા જીવનમા આ વસ્તુનુ સેવન કરવાની આદત અવશ્યપણે કેળવજો, ધન્યવાદ!
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત