કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા છે રિલેશનશિપમાં? કિયારાએ જાતે જ કર્યો ખુલાસો
બૉલીવુડ એકટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા આડવાણીનો જોડી આવનારી બાયોપિક ફિલ્મ શેરશાહમાં દેખાવાની છે. સિધ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં કારગિલ વોરના હીરો કેપટન વિક્રમ બત્રાની ભૂમિકામાં દેખાશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી વચ્ચે રિલેશનશીપને લઈને ઘણી બધી ખબરો આવી રહી હતી, એ દરમિયાન એક્ટ્રેસે આ વિશે એક ઇન્ટરવ્યૂ જણાવ્યું છે.
કિયારા આડવાનીએ એક ખાસ વાતચીતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક કો એકટર અને એક મિત્ર સાથે પોતાની કેમેસ્ટ્રી વિશે વાત કરી હતી. કિયારા અડવાણી જે ફિલ્મમાં વિક્રમ બત્રાની મંગેતર ડિમ્પલ ચીમાંની ભૂમિકા નિભાવતી દેખાશે અને આ ફિલ્મમાં પહેલી વાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતી દેખાવાની છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાને લઈને કિયારા આડવાણીએ કહી આ વાત.
સિદ્ધાર્થ મલ્હોત્રાને લઈને કિયારા આડવાણીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક કો એકટર તરીકે સિદ્ધાર્થ ખૂબ જ પ્રેરિત કરે છે. એ ખૂબ જ તૈયારી કરે છે અને ઘણું બધું રીડિંગ કરે છે. હું આવી જ રીતે કામ કરવા માગું છું. એક મિત્ર તરીકે હું કહીશ કે એ ઇન્ડસ્ટ્રીમાં મારા સૌથી નજીક મિત્રમાંથી એક છે.મને લાગે છે એક મિત્ર તરીકે પણ એ જીવનથી ભરેલો છે અને હંમેશા એમની સાથે રહેવામાં મજા આવે છે.
ફિલ્મોની વાત કરીએ તો કિયારા આડવાણી છેલ્લીવાર ઇન્દુ કી જવાની અને લક્ષ્મી ફિલ્મમાં અક્ષય કુમારની ઓપોઝિટ દેખાઈ હતી તો એ ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, જૂગ જૂગ જિયોમાં વરુણ ધવન અને કાર્તિક આર્યન સાથે ભૂલ ભુલૈયા 2માં દેખાશે. રામ ચરણની સાથે એમની ફિલ્મ આરસી 15ની ઘોષણા હાલમાં જ એમના જન્મદિવસ પર કરવામાં આવી હતી.
ફેન્સને લાગે છે કે કિયારાએ એમએસ ધોનીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પણ તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં આવેલી ફિલ્મ ફગલીથી એમને બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું. જો કે આ ફિલ્મને કઈ ખાસ સફળતા નહોતી મળી અને ના કિયારાને ફેમ મળી શક્યું હતું.
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસનું અસલી નામ કિયારા નથી. હા એક્ટ્રેસે જાતે ઘણીવાર જણાવ્યું છે કે ફિલ્મોમાં આવતા પહેલા એમનું નામ આલિયા આડવાણી હતું. એક્ટ્રેસે જણાવ્યું હતું કે સલમાન ખાનની સલાહથી એમને પોતાનું નામ આલિયાથી કિયારા કર્યું હતું. એક્ટ્રેસે પોતાનું નામ એટલે બદલ્યું હતું કારણ કે પહેલાથી જ આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીમાં હતી અને ફેમસ પણ થઈ ચૂકી હતી. એક ઇન્ટરવ્યૂમાં કિયારાએ જાતે જણાવ્યું હતું કે ફિલ્મ અંજાના અંજાનીમાં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિયારા હતું. એક્ટ્રેસે જણાવ્યું હતું કે એ પ્રિયંકાના આ નામથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી એટલે આ નામને એમને પોતાના માટે પસંદ કર્યું હતું.