લોકડાઉન વચ્ચે ન ઘરના ન ઘાટના બનેલા શ્રમિકો વતન પરત ફરવા થતા આતુર, કરી રહ્યા છે આ રીતે પલાયન
દિલ્હી એનસીઆરમાં રહેતા શ્રમિકોએ 21 દિવસના પહેલા લોકડાઉનનો સમય તો જેમ તેમ કરીને પસાર કરી લીધો પરંતુ લોકડાઉન 0.2નો
![](https://imgk.timesnownews.com/story/98e8f95e-af14-45f7-9f12-6f36f2794d7e_yKFQoxy.jpg?tr=w-560,h-292,fo-top)
આ અંતિમ તબક્કો તેમના માટે મુશ્કેલ બની જતા 50 જેટલા શ્રમિકોએ ધીરજ ગુમાવી છે. હાલ વાહન કે એક શહેર છોડી બીજા શહેર જવાની પરવાનગી તો મળતી નથી તેવામાં આ શ્રમિકોએ સાઈકલ સવારી કરી પોતાના વતન પરત ફરવા નીકળી પડ્યા હતા.
આ શ્રમિકો દિલ્હી, હરિયાણા અને પંજાબમાં કામ કરનાર દેહાડી મજૂરો છે. સાઈકલ લઈ વતન જવા નીકળેલા આ લોકોન દિલ્હી પોલીસે હરિયાણા અને દિલ્હીથી બિહાર, યૂપી, મધ્ય પ્રદેશ જતાં પકડ્યા હતા. દિલ્હી પોલીસે આ મજૂરોના પાંચ અલગ અલગ વિસ્તારમાંથી પકડ્યા હતા.
![](http://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/400x400_60/fetchdata15/images/2a/14/e5/2a14e5c9add767fbbef90f44399351c0.jpg)
પોલીસએ મહામહેનતે આ શ્રમિકોને લોકડાઉન અંગે સમજાવ્યા અને ત્યારબાદ તમામને શેલ્ટર હોમ પહોંચાડવામાં આવ્યા હતા. આ શ્રમિકો બિહાર જવા માટે આ ધોમધખતા તાપમાં પણ નીકળી પડ્યા હતા. દિલ્હી પોલીસે ફતેહપુર બેરી વિસ્તારમાં હરિયાણાના બહાદુરગઢથી આવેલા 15 સાઈકલ સવાર શ્રમિકોને રાધાસ્વામી સત્સંગ શેલ્ટર હોમમાં મોકલ્યા હતા. આ તમામ શ્રમિકો બિહારના મધુબની જઈ રહ્યા હતા.
દક્ષિણ દિલ્હીના સાકેત વિસ્તારમાં વધુ ચાર શ્રમિકોને રોકવામાં આવ્યા હતા. આ લોકો હરિયાણાના પટૌડીથી પગપાળા ચાલી અને યૂપીના અમરોહા જવા નીકળી પડ્યા હતા. આ તમામ મજૂરોને મહરૌલી શેલ્ટર હોમમાં છોડવામાં આવ્યા. સાથે જ માલવીય નગર પોલીસ મથકના વિસ્તારમાંથી નવ મજૂરોને રોકવામાં આવ્યા જે પણ પગપાળા પોતાના વતન જવા નીકળી પડ્યા હતા.
![](https://cms.tribuneindia.com/gallary_content/2020/4/2020_4$largeimg_1041146148.jpg)
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકારે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન લાગૂ કર્યું હતુ. પરંતુ આ સમય દરમિયાન દર્દીઓની સંખ્યા વધતી જણાતા લોકડાઉનને 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પોતાના વતનથી દૂર કામ કરવા આવેલા શ્રમિકોની હાલત કફોડી થઈ છે. આ સમય દરમિયાન દેશમાં રેલ્વે, બસ જેવી ટ્રાંસપોર્ટ સેવા પણ બંધ હોવાથી લોકો પગપાળા કે સાઈકલ લઈ પોતાના વતન જવા નીકળવા લાગ્યા છે.