આવો છે રથયાત્રાનો રૂટ, જાણો 144મી રથયાત્રામાં શું રહ્યું ખાસ
આજે રથયાત્રાના પવિત્ર તહેવારની ઉજવણી અમદાવાદમાં તો જોર શોરથી થઈ રહી છે. કોરોનાના નિયમો અને ગાઈડલાઈનના પાલન સાથે ભક્તો વિનાની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ 144મી રથયાત્રામાં પરંપરાગત વિધિ વિધાન સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીનો લાભ લેવા ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા હતા.
આ સાથે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ મંદિરમાં સોનાની સાવરણીથી સાથે પરંપરાગત ગણાતી એવી પહિંદ વિધિ પણ પૂરી કરી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. આ સમયે અન્ય મંત્રીઓમાં નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. સીએમ રૂપાણીએ કહ્યું કે ભગવાન જગન્નાથ ગુજરાત કોરોનામુક્ત બને તેવી ભગવાનને પ્રાર્થના અને સાથે જ ભગવાન જગન્નાથ ગુજરાત પર મહેર કરે તેમ પણ કહ્યું હતું.
કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો છે આ સમયે રથયાત્રાના પ્રારંભની સાથે જ “જય રણછોડ માખણ ચોર” ના નાદ પણ સાંભળવા મળ્યા હતા. કોરોનાના કારણે રથયાત્રામાં ભજન મંડળીને મંજૂરી નહીં મળતા ભજન મંડળીઓ નારાજ જોવા મળી રહી છે. આ ભજન મંડળીની મહિલાઓ વહેલી સવારથી જ મંદિર બહાર હાજર રહી હતી અને સાથે તેઓએ મંદિર બહાર જ નાથના ભજન ગાઈને ઉજવણી કરી હતી. આ સિવાય કોરોનાકાળમાં ભક્તોને રક્ષણ આપવાની માંગણી પણ નાથને કરવામાં આવી છે.
આવો છે રથયાત્રાનો આજનો રૂટ, જાણો કેટલા વાગે ક્યાંથી રથ થશે પસાર
જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન 7 AM
મ્યુનિસિપલ કોર્પોરેશન 7:35 AM
રાયપુર ચકલા 7:50 AM
ખાડિયા ચાર રસ્તા 8 AM
કાલુપુર સર્કલ 8:20 AM
સરસપુર 8:40 AM
રથયાત્રા વિરામ 8:40 AM થી 8:50 AM
સરસપુરથી પ્રસ્થાન 8:50 AM
કાલુપુર સર્કલ 9:15 AM
પ્રેમ દરવાજા 9:30 AM
દિલ્હી ચક્લા 9:50 AM
શાહપુર દરવાજા 10:10 AM
આર.સી.હાઈસ્કૂલ 10:35 AM
પિતળીયા બંબા 10:55 A
પાનકોર નાકા 11:10 AM
માણેક ચોક 11:30 AM
જગન્નાથ મંદિર પરત 12 PM
આવી છે સુરક્ષાની વ્યવસ્થા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે…AMC દ્વારા રથયાત્રા રૂટ પર સમારકામ હાથ ધરાયું છે. જગન્નાથ મંદિર બહાર રોડ પર પડેલા ખાડાઓ દૂર કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવામાં આવ્યા છે.રથયાત્રાની મંજૂરી પર અસમંજસ વચ્ચે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે.
આ રૂટ આજે રહેશે બંધ
144 મી રથયાત્રા દરમિયાન માર્ગોને પણ ડાયવર્ટ કરાયા
અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે.
જય જગન્નાથ
जय जगन्नाथ!
Jai Jagannath!#RathYatra2021 pic.twitter.com/UVbKmFkKqh
— Vijay Rupani (@vijayrupanibjp) July 12, 2021
નહેરુબ્રીજ, ગાંધીબ્રિજ, એલિસબ્રિજ, અમદુપુરા બ્રિજ બંધ રહેશે
કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, આસ્ટોડિયાથી સારંગપુર માર્ગ બંધ
કચ્છી નયે વરે – અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે મુંજી લખ લખ વધાઈયું
કચ્છજી ભાતીગળ કલા અને સાંસ્કૃતિક વારસેજો જતન કરીધલ કચ્છજી ખડતલ ખમીરવંતી પરજા ડેસ અને પરડેશ મેં વસધલ કચ્છી ભા ભેણે કે મું તરફ થી નયે વરે જા રામ રામ.
— Narendra Modi (@narendramodi) July 12, 2021
રથયાત્રા રૂટ પરના વિસ્તારોમાં નો-પાર્કિગ ઝોન જાહેર
AMTS બસ ના રૂટ ડાયવર્ટ કરવામા આવ્યા
Greetings to everyone on the special occasion of the Rath Yatra. We bow to Lord Jagannath and pray that his blessings bring good health and prosperity in everyone’s lives. Jai Jagannath!
— Narendra Modi (@narendramodi) July 12, 2021
રથયાત્રા કરફ્યુ ની અસર કુલ 105 રૂટ પર જોવા મળશે
AMTS બસના 46 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા
Gujarat Chief Minister offers prayers ahead of Rath Yatra in Ahmedabad pic.twitter.com/WUhAcW2yAh
— ANI (@ANI) July 12, 2021
AMTS બસના 57 રૂટ ટૂંકાવામાં આવ્યા
રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ડાયવર્ટ રૂટ લાગુ રહેશે
भगवान जगन्नाथ की रथ यात्रा के शुभ अवसर पर सभी देशवासियों, विशेष रूप से ओडिशा में सभी श्रद्धालुओं को मेरी हार्दिक बधाई एवं शुभकामनाएं। मैं कामना करता हूँ कि प्रभु जगन्नाथ के आशीर्वाद से सभी देशवासियों का जीवन सुख, समृद्धि और स्वास्थ्य से परिपूर्ण बना रहे।
— President of India (@rashtrapatibhvn) July 12, 2021
BRTS બસને પણ કરફ્યુની અસર થશે
ઝુંડાલ થી નારોલ સર્કલ રૂટની બસ રહેશે બંધ
#WATCH | Gujarat: Union Minister Amit Shah performs ‘arti’ at Jagannath Temple in Ahmedabad ahead of Rath Yatra pic.twitter.com/QMO94gwem0
— ANI (@ANI) July 11, 2021
નરોડા થી ઇસ્કોન રૂટની બસ રહેશે બંધ
BRTSનો RTO સરક્યુલર રૂટ પણ રહેશે બંધ
#WATCH | Gujarat: Union Minister Amit Shah feeds a temple elephant at Ahmedabad’s Jagannath Temple pic.twitter.com/BC9xlgDHu2
— ANI (@ANI) July 11, 2021
BRTSના અન્ય 3 રૂટ ને આંશિક અસર થશે
Gujarat: Jagannath Temple all decked up ahead of Rath Yatra in Ahmedabad.
Heavy security has been deployed outside the temple pic.twitter.com/6Psv3KDZku
— ANI (@ANI) July 11, 2021