પિયરીયા પૈસાની અછતને કારણે ના આપી શક્યા બુલેટ, તો પતિએ પત્નીને આ રીતે મારી નાખી, અને પછી…

બુલેટ ન આપવાના કારણે સાસરા વાળાએ વહુ સાથે કર્યું એવું જે જાણીને ચોંકી જશો

image source

આપણા દેશમાં આટલા વર્ષો પછી પણ વિરોધાભાસ સતત જોવા મળી રહ્યો છે. એક તરફ તો આપણે રોજે રોજ સમાનતાની વાતો કરતા થાકતા નથી અને બીજી બાજુ કોઈ એકને એક પક્ષ સાથે સતત અન્યાય થાય છે. જે કોઈ પણ સંજોગોમાં અટકવાનું નામ નથી લઇ રહ્યો. સ્ત્રી અને પુરુષ સમાજનો એ ભાગ છે, જેમની બેયની હાજરી વગર બંને અધૂરા છે. આમ છતાં ક્યાંક સ્ત્રીઓ દ્વારા પુરુષનું શોષણ થાય છે, તો ક્યાંક પુરુષ દ્વારા સ્ત્રીઓનું. જો કે આ બધામાં સ્ત્રીઓ સાથે જોડાયેલા દહેજના કિસ્સાઓ ખાસ કરીને બહુ ગંભીર હોય છે. આપણી માનસિકતા હજુ પણ સબંધ કરતા વધારે લાલચ અને લોભમાં જ પડી રહી છે. દહેજના કિસ્સાઓ જો આપણી લાલચ નથી તો બીજું છે શું?

પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી

image source

વર્તમાન સમયમાં પૈસા આગળ સબંધો પણ કાચા પડતા જઈ રહ્યા છે. લાલચ માણસની માણસાઈ અને મર્યાદા બંને પર ભારી થતી જઈ રહી છે. આ ઘટનાને પુરવાર કરતો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ખોડબંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિદુલિયા ગામની છે. અહી એક પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી છે. એ પણ એટલા માટે કારણ કે લગ્નમાં દીકરીના પિતાએ એને ભેટમાં બુલેટ ન આપ્યું. આપને એ પણ જણાવી દઈએ કે મૃતકના પિતા ફૂલેના સાહનીએ શનિવારે જણાવ્યું હતું કે એમણે વર્ષ ૨૦૧૮માં એમની દીકરી ખુશ્બુના લગ્ન સુનીલ સાથે કર્યા હતા. જેમાં તેમણે પોતાની યથાશક્તિ મુજબ જમાઈને ભેટ પણ આપી હતી. પણ સુનીલને સાસરાવાળા પાસેથી આ ભેટ નહિ પણ બુલેટ જ જોઈતું હતું.

બુલેટ માટે દીકરીને ત્રાસ આપતા હતા

image source

ખુશ્બુના પિતાના જણાવ્યા પ્રમાણે દીકરીના સાસરી વાળા અવારનવાર બુલેટ માટે દીકરીને ત્રાસ આપતા હતા. જો કે શુક્રવારની સાંજે ખુશ્બુના સાસરીવાળા સહિત પતીના સાસરિયા વિશે માહિતી મેળવીને જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે અર્ધી મૃત અવસ્થામાં ખુશ્બુ આંગણામાં આવીને પડી હતી. જો કે એને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી

image source

આ ઘટનાની બાતમી મળતા જ પોલીશે લાશને બહાર કાઢી હતી અને એને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. આ કેસમાં પતિ અને ભાભ સહિત અન્ય પાંચ લોકોના નામ પણ તપાસમાં સામે આવ્યા છે. સાસરિ વાળાની ધરપકડ કરવા માટે પોલીસ તપાસ કરી રહી છે. જો કે ઘટનાને અંજામ આપીને આ લોકો ઘરમાંથી છટકી ગયા હતા. મૃત દેહની સ્થિતિ જોઇને એવું અનુમાન લગાવી શકાય છે કે હુમલો કર્યા પહેલા એટલે કે સળગાવતા તેનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ પુરાવા નષ્ટ કરવા માટે એને સળગાવી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત