કોરોનાની સાથે અન્ય વાયરસ સામે પણ લડશે આ એક જ વેકસીન.
આખી દુનિયામાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોના સંક્રમણ હેલ્થ એક્સપર્ટ માટે ચિંતાનો વિષય બનેલું છે. લોકોને સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે દુનિયાભરમાં જાત જાતની વેકસીન બની ચુકી છે, જેને બધા અભ્યાસ પછી ખૂબ જ અસરકારક ગણવામાં આવી છે. દેશમાં હાલ કોરોનાથી સુરક્ષા આપવા માટે 6 વેકસીનોને આપતકલીન ઉપયોગની મંજૂરી મળી ચુકી છે. જેમાંથી ત્રણ સ્વદેશી વેકસીન કોવેકસીન, કોવિશિલ્ડ અને જાઇકોબ ડી ની સાથે રુશની સ્પુટનિક વી અને અમેરિકાની મર્ડના અને જોનસન એન્ડ જોનસન સામેલ છે. દુનિયાના ઘણા દેશોમાં ઝડપથી ધતા સંક્રમણને જોતા એક્સપર્ટ બધા લોકોને જેમ બને એમ જલ્દી વેકસીન મુકાવવાની અપીલ કરી રહ્યા છે.
અમુક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે આવનારા વર્ષોમાં કોરોના જેવા અન્ય ઘણા વાયરસનો પ્રકોપ જોવા મળી શકે છે. એનાથી બચવા માટે લોકોને પોતાની ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ.આ સમસ્યાઓને જોતા દેશમાં એવી વેકસીનનું નિર્માણ વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે જેનાથી કોરોનાની સાથે સાથે ભવિષ્યના સંભવિત અન્ય વાયરસના ગંભીર જોખમને એકસાથે લક્ષીત કરવામાં આવે. તો ચાલો એ વિશે વધુ જાણકારી મેળવી લઈએ.
શુ એક જ વેકસીનની સાથે અન્ય ઘણા ગંભીર વાયરલ સંક્રમણને સુરક્ષા મળી શકે છે? એ વિશે દેશના વૈજ્ઞાનિકોસતત શોધ કરી રહ્યા છે. ભારત સરકારના જૈવ પ્રૌધોગિકી વિભાગના સચિવ ડૉ રેણુ સ્વરૂપ કહે છે કે દેશમાં કોરોના સંક્રમણ અન્ય નવા વેરીએન્ટના જોખમને ઓછું કરવા માટે કોવિડની વેકસીનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એ સિવાય વૈજ્ઞાનિક પેન કોરોના પણ એક વેકસીનને વિકસિત કરવાની સંભાવનાઓ પર શોધ કરી રહ્યા છે. જેનાથી ભવિષ્યમાં જો કોરોનાની જેમ કોઈ અન્ય વાયરસ આવે છે તો આ વેકસીન એની સાથે મુકાબલો કરી શકે. વૈજ્ઞાનિકો એવી શક્યતાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે.
દેશમાં વેકસીનની સ્થિતિ અને એની અસરકારકતાને લઈને ડૉ રેણુ સ્વરૂપ કહે છે કે આપણી પાસે કોરોના વેકસીનની એક પાઇપલાઇન છે. હાલમાં જ કોવિડની ડીએનએ વેકસીનને આપતકલીન ઉપયોગ માટે મંજૂરી મળી છે, એ સિવાય આપણા પોતાના એમઆરએનએ વેકસીનનું જલ્દી જ ત્રીજા ચરણમાં પરીક્ષણમાં જવાની શક્યતાઓ છે. એ સિવાય બાયોલોજીકલ ઇ કેન્ડીડેટ સપ્ટેમ્બર અંત સુધીમાં અનુમોદન માટે ડ્રગ નિયમકમાં આવેદન માટે જઈ શકે છે. નેઝલ વેકસીનને પણ બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણની મંજૂરી મળી ગઈ છે. એ આધાર કર કહી શકાય કે ભારતમાં ટૂંક સમયમાં જ કોરોના સામે મુકાબલા માટે મજબૂત સ્થિતિમાં છે.
ભારતે કોરોના સામેની લડત માટે દુનિયાની પહેલી ડીએનએ આધારિત વેકસીન વિકસિત કરી છે. અમદાવાદમાં આવેલ ફાર્માસ્યુટિકલની મુખ્ય કંપની ઝાયડ્સ કેડીલા દ્વારા વિકસિત કરવામાં આવેલી જાઈકોબ ડી ડીએનએ ટેક્નિક પર આધારિત વેકસીન છે. આ એક પ્લસમિડ ડીએનએ વેકસીન છે જે પ્લાસમિડ નામના ડીએનએ અણુંના બિન પ્રતિકૃતિ વર્ઝનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ શરીરમાં સોર્સ સીઓવી 2 વાયરસના મેબ્રેન પર રહેલા સ્પાઈક પ્રોટીનનું એક બિનહાનિકારક વર્ઝન તૈયાર કરવામાં મદદ મળશે જેનાથી ભવિષ્યમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ સરળતાથી સુરક્ષા મેળવી શકાશે.
આખી દુનિયામાં બાળકો માટે કોરોનાની વેકસીન હાલ સૌથી મોટી મુશ્કેલી બની છે. જે રીતે કોરોનાના નવા વેરીએન્ટ સામે આવી રહ્યા છે એવામાં બાળકોમાં સંક્રમણના વધુ જોખમને લઈને એક્સપર્ટ ચેતવી રહ્યા છે. ભારતમાં બાળકો માટે હાલ જાઈકોબ ડી વેકસીનને આપતકલીન ઉપયોગની મંજૂરી મળી ચુકી છે, તો અમુક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર જલ્દી જ કોવેકસીનને પણ બાળકો માટે મંજૂરી આપી શકે છે.