આ ચોકીદારે પૂરું પાડ્યુ ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ, 14 લાખ રૂપિયા ભરેલી બેગ તો…

માનવતા મહેકી:14 લાખ રૂપિયા ભરેલી બેગ પરિવાર સોસાયટીમાં જ ભૂલી ગયો, ઈમાનદાર ચોકીદારે 4 દિવસ સુધી જીવની જેમ પૈસા સાચવીને પરત કર્યા

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યૂ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી ભરેલી બેગ ચોકીદારે પોતાના ફ્લેટના રહીશને પરત આપી છે. આજના જમાનામાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે. લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા અચકાતા નથી. ત્યારે માણસાભરી ઉદારતા સામે આવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યૂ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી ભરેલી બેગ ચોકીદારે પોતાના ફ્લેટના રહીશને પરત આપી છે.

વાત કંઈક એવી છે કે આ એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સગાનું અવસાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સગાના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમાં મુકવાનું જ ભૂલી ગયા હતાં અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવારના માંથે એક આફત આવી ગઈ હતી.

image source

પરિવાર 14 લાખ ભરેલી બેગ ભૂલી ગયો

શ્યામ વિહાર એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સંબંધીનું અવસાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સંબંધીના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમા મુકવાનું જ ભૂલી ગયો અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. જોકે બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈને તે મામલે લાગતા તપાસ કરતા બેગ મળી નહોતી. આખરે થાકીને સોસાયટીના ચોકીદારને ફોન કરીને પૂછતા ચોકીદાર શંકરે બેગ પોતાની પાસે સહીસલામત હોવાનું જણાવ્યું હતું.

પરંતુ તપાસ કરતા બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈ તેમ લાગતા તપાસ કરતા બેગ મળી આવી નહીં 14 લાખ ગુમાવી દીધાનો આઘાતમાં પરિવારે સોસાયટીની ચોકીદાર શંકરભાઈ નેપાળીને ફોન કર્યો હતો. ત્યારે ચોકીદારે કહ્યું કે, ચિંતા ન કરો બેગ મારી પાસે છે અને બધુ સલામત છે. ત્યારે પરિવારને હાશકારો થયો હતો. અને ઈમાનદાર ચોકીદાર પર ગર્વ થયો હતો.

image source

આ ચોકદારે ચાર દિવસ પછી નરેન્દ્રસિંહ જયારે ઈન્દોરથી આવ્યા ત્યારે રૂપિયા ભરેલી બેગ પરત આપીને પોતાની ફરજ પુરી કરી છે. ચોકીદારની આ ઉમદા કાર્યથી રહીશોએ રોકડ અને કપડાં જેવી અનેક ભેટ સોગાંત આપીને તેમનું સન્માન કર્યુ હતું. નાનો માણસ પોતાની માણસાઈ ક્યારે ચૂકતો નથી અને લોકો માટે આ ચોકીદાર મિસાલરૂપ છે જેને મન કોઈના રૂપિયા ન પડાવી લેવાય માત્ર પોતાની મજૂરીના રૂપિયા પર જ પોતાનો હક હોવાનું વાત કરીને ચોકીદારે ખરી માણસાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઈમાનદાર ચોકીદારે 4 દિવસ પૈસા સાચવી રાખ્યા

ચાર દિવસ પછી નરેન્દ્રસિંહ જયારે ઈન્દોરથી પરત આવ્યા ત્યારે ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ પરત આપીને પોતાની ફરજ નિભાવી હતી. બાદમાં પરિવારે ચોકીદારને 1500 રૂપિયા ઈનામમાં આપીને તેનું સન્માન પણ કર્યું હતું. આ વિશે વાત કરતા સોસાયટીના ચેરમેને જણાવ્યું હતું કે, શંકર નેપાળી છે અને આખી સોસાયટી માટે કોરોના કાળમાં પણ તે પોતાની ફરજ ચુક્યા વગર દરેક લોકો માટે દરેક નિષ્ઠા પૂર્વક કામ કરે છે.

image source

મહેનતના રૂપિયા પર જ પોતાનો હક

નોંધનીય છે કે શંકર ગરીબ તથા નાનો માણસ હોવા છતાં પોતાની માણસાઈ ચૂક્યા વિના ફરજ નિભાવી હતી. એવામાં અન્ય નાના લોકો માટે આ ચોકીદાર મિશાલ રૂપ છે જેના મનમાં કોઈના રૂપિયા પડાવી લેવાની જગ્યાએ માત્ર પોતાની મહેનતના રૂપિયા પર જ પોતાનો હક હોવાનું માને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!