આ ફેમસ અભિનેત્રી કરી લીધી આત્મહત્યા, મચી ગયો છે હોહા, એક સમયે બિગ બોસમાં….
આ અભિનેત્રી કરી લીધી આત્મહત્યા, મચી ગયો છે હોહા, એક સમયે બિગ બોસનો ભાગ હતી.
કન્નડની એક્ટ્રેસ જયશ્રી રમૈયાની બેંગ્લોર સ્થિત ઘરે ફાંસી પર લટકેલી લાશ મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જયશ્રી છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી. બેંગ્લોરના સંધ્યા કિરણ આશ્રમમાં તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. જયશ્રીની આમ અચાનક વિદાયથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે.
એવું કહેવામાં આવે છે કે જયશ્રી ડિપ્રેશનનો ભોગ બની હતી.જયશ્રીના અચાનક થયેલા અવસાનથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. ફિલ્મ નિર્માતા મયૂરા રાઘવેન્દ્ર જેમને કન્નડ ગોથીલામાં એમની સાથે કામ કર્યું હતું એમમે અભિનેત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. એમને કહ્યું છે કે આ એક એવી વસ્તુ છે જેમાંથી કોઈ પસાર ન થવું જોઈએ. એ ખૂબ જ પીડિત હતી અને એને સતત આત્મહત્યાના પ્રયાસ કરતી પણ જોવામાં આવી હતી.”
વીતેલા દિવસોમાં લોકપ્રિય કન્નડ એક્ટ્રેસ અને બિગ બોસ કન્નડની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી જયશ્રી રમૈયાએ ડિપ્રેશનને લઈને કરેલા એક પોસ્ટને લીધે ખૂબ જ ચર્ચામાં રહી હતી. એક્ટ્રેસે વર્ષ 2020માં જુલાઈ મહિનામાં ફેશબુક પર લાઈવ સેશન દ્ દ્વારા ડિપ્રેશનની જાણકારી આપી હતી. ત્યારે એમને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાઈવ સેશન કર્યું હતું જેમાં એમને ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. એટલું જ નહીં એમને એટલે સુધી કહી દીધું હતું કે એ ડિપ્રેશન સામે નથી લડી શકતી અને એમને ઈચ્છા મૃત્યુ જોઈએ છે.
એક્ટ્રેસે આગળ કહ્યું કે એ આર્થિક રૂપથી સ્થિર છે પણ બાળપણના દિવસોમાં દગો મળવાને લીધે ડિપ્રેશનમાં જતી રહી. જયશ્રીએ પણ ખુદને હરેલી કહ્યું હતું અને એમને કહ્યું હતું કે એ મરવાને લાયક છે.જયશ્રીએ પોતાના લાઈવ સેશનમાં કહ્યું હતું કે “હું આ બધું પબ્લિસિટી માટે નથી કરી રહી. હું સુદીપ સર પાસે પણ આર્થિક મદદની આશા નથી કરી રહી. હું ફક્ત મારા મૃત્યુની આશા રાખી રહી છું કારણ કે હું ડિપ્રેશનથી લડવામાં અસમર્થ છું”
જયશ્રી એક લોકપ્રિય મોડેલ હતી અને અભિનેત્રી તરીકે એને કર્ણાટકમાં પણ ઓળખ બનાવી હતી. કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપ આ શોના હોસ્ટ હતા. એમના મિત્રોનું કહેવું હતું કે એ કોઈ પારિવારિક કારણે લીધે આઘાતમાં જતી રહી હતી. એ વારંવાર પોતાના નંબર બદલતી હતી, જેનાથી એમના પરિચિત લોકો એમને સંપર્ક નહોતા કરી શકતા.
સોશિયલ મીડિયા પર લાઈવ આવીને ડિપ્રેશનની વાત કર્યાના અમુક અઠવાડિયા પછી એમના મૃત્યુના સમાચારને લઈને લોકો અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. એમને પછી ચોખવટ કરતા કહ્યું હતું કે એ એકદમ ઠીક છે અને હવે કોઈ તકલીફ વાળી વાત નથી. એમને પછી એ પોસ્ટ પણ ડીલીટ કરી દીધી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત