મોટા સમાચાર, વિવાદોમા ફસાયેલા આ ટેક્સ કાનુનને નાબૂદ કરવા માટે મોદી સરકારે ઘડ્યો પ્લાન, કેબિનેટની મળી મંજૂરી

રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદાને લઈને મોટા સમાચાર આવ્યા છે. આ વિવાદાસ્પદ કર કાયદાને કારણે સરકારને બે મોટા આંચકા અત્યાર સુધીમા લાગી ચુક્યા છે. પ્રથમ આંચકો વર્ષ 2012માં વોડાફોન તરફથી આવ્યો હતો. આ સાથે જ હવે કેયર્ન એનર્જી પણ સરકાર માટે મુશ્કેલીનું કારણ બની છે. હવે દેશમાં ફરી વોડાફોન અને કેયર્ન જેવા વિવાદ નહીં થાય કારણ કે આ વિવાદાસ્પદ પૂર્વવર્તી કરને નાબૂદ કરવા સરકાર તૈયાર છે. એક રિપોર્ટ અનુસાર સરકાર આ ટેક્સ નાબૂદ કરવાની હોવાની જાણકારી મળી છે. કેયર્ન ઇન્ડિયા ટેક્સ વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી સરકાર માટે સમસ્યા બની ગયો હતો.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો આ એક વિવાદ ટેક્સ છે અને સરકાર તે ટેક્સ નાબૂદ કરવા જઈ રહી છે જેથી તે ફરી આવી સમસ્યાઓ ન થાય. 2012ના આ વિવાદિત કરને નાબૂદ કરવાની મંજૂરી કેબિનેટ પાસેથી પણ હવે મળી ગઈ છે. આ માટે કેન્દ્ર સરકાર વ્યાજ વગર ચૂકવેલ રકમ પરત કરવા તૈયાર છે. ભારત વોડાફોન સામેનો આ કેસ હારી ગયુ હતુ અને ગયા વર્ષે ડિસેમ્બરમાં આ માટે અપીલ દાખલ કરી હતી. આ માટે મળેલો પ્રથમ આંચકો વર્ષ 2012માં વોડાફોન તરફથી આવ્યો હતો જેમાં સરકારને લગભગ 8800 કરોડના નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કેયર્ન ઈન્ડિયા વતી સરકાર અને કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

શું છે કેયર્નનો વિવાદાસ્પદ ટેક્સ કેસ?

image source

મળતી માહિતી મુજબ આ પૂર્વવર્તી કરને કારણે આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશને ડિસેમ્બર 2020માં કેર્ન એનર્જીની તરફેણમાં ચુકાદો આપ્યો અને ભારત સરકારને તેના 1.2 અબજ ડોલર પરત કરવા કહ્યું. આ માટે ઈન્ટરનેશનલ કોર્ટમાંથી જીત્યા બાદ કેયર્ન એનર્જી તેના પૈસા માટે સરકારની પાછળ પડી છે. એક રિપોર્ટ અનુસાર કેયર્ન એનર્જીએ ભારત સરકારની વિદેશમાં $ 70 અબજ (5 લાખ કરોડથી વધુ)ની સંપત્તિની ઓળખ કરી છે.

image source

આ સાથે માત્ર ભારત જ નહી પણ અન્ય ઘણા દેશોમાં પણ કેસ નોંધાયા હોવાની વાત સામે આવી છે. કેયર્ન એનર્જીએ ભારત સરકાર પાસેથી તેના પૈસા લેવા માટે વિશ્વના ઘણા દેશોમાં કેસ દાખલ કર્યો છે. આથી જો કેયર્નની તરફથી કોઈ કાર્યવાહી આગળ કરવામાં આવે છે તો તેવામા આ મામલો અટકી જશે. જો કે આ બાબતોને ધ્યાનમા લેતા હવે સરકાર સીઝરની આ કાર્યવાહીને કોર્ટમાં પડકારશે. પરંતુ ત્યાં સુધીમાં સરકારે કેયર્નને બેંક ગેરંટી આપવી પડી શકે છે. જો કોર્ટને કેયર્નના દાવામાં યોગ્યતા ન મળે તો તે ગેરંટી સરકારને પરત કરવામાં આવશે અને બીજી તરફ જો કેયર્નને જમાનત મળી જશે.

વોડાફોન કેસમાં મળી હતી હાર:

image source

વોડાફોન ટેક્સ વિવાદ વર્ષ 2007માં શરૂ થયો હતો. આ અંગે લગભગ 5 વર્ષની કાનૂની લડાઈ બાદ ભારત સરકાર આ કેસ હારી ગઈ હતી. લગભગ 15000 કરોડના આ ટેક્સ વિવાદમાં સરકાર ફસાઇ હતી. વોડાફોન કેસ 2007માં હોંગકોંગના હચિસન ગ્રુપના માલિક હચિસન વામ્પોઆએ હચિસન-એસ્સારમાં 11 અબજ ડોલરનું રોકાણ કરીને હચિસન વ્હેમ્પોઆના મોબાઇલ બિઝનેસમાં 67 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સોદા સાથે તેમણે ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. જાણવા મળ્યુ છે કે ભારતીય આવકવેરા વિભાગ આ સોદા અંગે વોડાફોન પાસેથી કેપિટલ ગેઈન ટેક્સની માંગ કરી રહ્યો હતો. આ સિવાય તેની પાસે પૂર્વવર્તી કર પણ માંગવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 2007માં આ સોદાને ધ્યાનમા લેતા હોલ્ડિંગટેક્સની સતત માંગ કરવામા આવી રહી છે. આ પછી છેવટે થાકીને વોડાફોને વર્ષ 2012માં આવકવેરા વિભાગ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

શું છે આ પૂર્વવર્તી કર?

image source

હવે આ કરને નાબૂદ કરવા માટે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, આ માટે સરકારે આ ટેક્સને લગતા આવકવેરા વિભાગના કાયદામાં સુધારો કરવો પડશે. આ પૂર્વવર્તી કર એ પ્રકારના ટેક્સનો ઉલ્લેખ કરે છે જે કંપનીઓ પાસેથી તેમના જૂના સોદા પર પણ લાદવામાં આવે છે. વોડાફોન પર આ ટેક્સ વિસ્તારમા વર્ષ 2007થી આવ્યુ હતુ પણ આ ટેક્સ ત્યારથી લેવામા આવે કે જ્યારથી આ કંપની ટેક્સ નેટ હેઠળ આવી છે.