ધોરણ 10-12 માં પ્રાઇવેટ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ક્યારે? સીબીએસઇએ તારીખ જાહેર કરી

સીબીએસઇએ એક નવું પરિપત્ર બહાર પાડ્યું છે, જેમાં પ્રાઇવેટ રીતે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે તે
વિશે જણાવવામાં આવ્યું છે. આ સાથે પેપરના પરિણામ અંગે નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

image source

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ જણાવ્યું હતું કે ખાનગી ઉમેદવારો માટેની 10 મી અને 12 ની પરીક્ષાઓ 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક મૂલ્યાંકન નીતિના આધારે વ્યક્તિગત ઉમેદવારોના પરિણામોને જાહેર કરવાની ના પાડી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે શાળાઓ અથવા સીબીએસઈની પાસે આ વિદ્યાર્થીઓ માટે કોઈ મૂલ્યાંકન રેકોર્ડ નથી.

પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

image source

સીબીએસઇના પરીક્ષકોના નિયંત્રકએ કહ્યું હતું કે, “પરીક્ષાઓ 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે અને તેનું પરિણામ પણ વહેલી તકે જાહેર કરવામાં આવશે જેથી તેઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.” પહેલાના દિવસોમાં, વ્યક્તિગત ઉમેદવારોના જૂથે સીબીએસઇ હેડ ક્વાર્ટરની બહાર વિરોધ નોંધાવ્યો હતો કે તેઓ અને નિયમિત વિદ્યાર્થીઓ વચ્ચે અસમાનતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પરિણામ થોડા દિવસોના તફાવત પછી જાણી શકાય છે

image source

જોકે, સીબીએસઇ હજી સુધી પરિણામ જાહેર કરવા માટે કોઈ તારીખની માહિતી આપી રહ્યું નથી. બોર્ડના જણાવ્યાનુસાર, પરિણામો તૈયાર કરવાને લઈને કેટલીક શાળાઓની સમસ્યા છે, જેનો ઉકેલ આવી રહ્યો છે. જ્યારે પણ પરિણામ જાહેર થશે, ત્યારે આ અંગેની માહિતી આપવામાં આવશે. એવી શક્યતા છે કે જો 10 માં ધોરણનું પરિણામ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો બોર્ડ બે થી ત્રણ દિવસમાં પરિણામ જાહેર કરશે. બોર્ડ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે શાળા દ્વારા અપલોડ કરવામાં આવેલા અને ડેટાની ગણતરીમાં કોઈ ભૂલ ન થાય. જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

image source

કોરોનાના સમયમાં દરેક લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમ કે ઘણા લોકોના ધંધા બંધ થયા, તો ઘણા લોકોને કંપનીમાં તકલીફ આવવાના કારણે નોકરી છોડવી પડી, આ સિવાય પણ ઘણી તકલીફો કોરોના સમયમાં આપણે જોવા મળી છે. અત્યારે સૌથી વધુ સમસ્યા વિદ્યાર્થીઓમાં જોવા મળે છે, આ સમયમાં ન તો તેઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શકે છે કે ન તો અભ્યાસ છોડી શકે છે. દરેકને ઓનલાઇન ક્લાસ તો ચાલુ જ છે, પરંતુ જે મજા શાળામાં બેસીને ભણવાની છે, એવી ક્યાંય નહીં. આ સમયમાં બાળકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે માતા-પિતાની પણ ફરજ છે કે તેમના બાળકોને યોગ્ય શિક્ષણ આપે અને તેમને દરેક અભ્યાસમાં મદદ કરે. જેથી તમારા બાળકો આગળ વધી શકે.