આણંદના ઈતિહાસના રેકોર્ડ તોડીને 25 વર્ષની પરણિત યુવતી ભાગી ગઈ 17 વર્ષનાં કિશોર સાથે, ફિલ્મને પણ ટક્કર મારે એવી કહાની

પ્રેમમાં પડેલ માણસ કઈ કોઈ પણ પગલું ભરતા પહેલા ના તો પરિવાર વિશે વિચારે છે કે ના તો સમાજ વિશે. ક્યારેક ઘર છોડીને ભાગી જતાં પ્રેમી પંખીડાઓના કિસ્સા તો વળી ક્યારેક છુપાઇને લગ્ન કરી લીધેલ કિસ્સાઓ સામે છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ખૂબ પમાડનાર છે. મળતી માહિતી મુજબ આ કિસ્સો આંણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં 25 વર્ષની એક પરણિત યુવતી સાથે 17 વર્ષનાં કિશોર ભાગી ગયો છે.

image source

જાણવા મળ્યું છે જે થોડા સમયથી આ બને પ્રેમ સંબંધમાં હતા. કહેવામાં આવી રહ્યું કે આ પરણિત યુવતીએ કિશોરને પ્રેમમાં ફસાવીને ભગાડીને લઈ જઈ રહી હતી. આ દરમિયાન આંકલાવ પોલીસે યુવતીને કિશોર સાથે સુરતથી ઝડપી પાડી છે. ત્યારબાદ યુવતી વિરૂદ્ધ પોસ્કો હેઠળ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. હવે આ મામલે શું હકીકત છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ જ્યારે આ રીતે પ્રેમી પંખીડાઓ ની ભાગવાની ઘટના સામે આવી છે ત્યારે સામાન્ય રીતે મોટી વયનાં યુવકો સગીર વયની કિશોરીઓને ભગાડીને લઈ જતા હોય છે પણ આ કિસ્સો તેનાથી તદ્દન વિરુધ હતો.

image source

મળતી માહિતી મુજબ આ કિશોર યુવતીની ઉંમરથી 8 વર્ષ નાના છે. પોલીસ પણ કહી રહી હતી કે આણંદમાં આ પહેલો એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક યુવતી તેના કરતાં આટલી નાની વયના કિશોરને લઈને ભાગી ગઈ હોય. જ્યારે આ ઘટનાં વિશે બધાને જાણ થઈ ત્યારે અફરતફરી મચી ગઈ હતી. વાત કરીએ આ યુવક વિશે તો તે આંકલાવનાં બિલપાડ ગામનો છે અને તેની ઉંમર માત્ર 17 વર્ષ છે. આ યુવતી હઠીપુરા ગામની છે અને તેનું નામ ગાયત્રી છે. તે એક નર્સરીમાં બંને સાથે નોકરી કરતા હતા.

image source

આ પછી ગાયત્રી સાથે પરિચય થતા બન્ને એક બીજાનાં પ્રેમમાં પડ્યા અને ત્યારબાદ બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું. જાણવા મળ્યું છે કે ગઇ 27મી મેનાં રોજ વહેલી સવારે કિશોર પોતાનાં ઘરેથી ગુમ થઈ ગયો હતો. આ પછી પરિવારે તે જે નર્સરીમાં નોકરી કરતો હતો ત્યાં તપાસ કરી. તે સમયે ત્યાંથી જાણવા મળ્યું કે તે કિશોર નર્સરીમાં કામ કરતી ગાયત્રી સાથે છેલ્લાં થોડા સમયથી પ્રેમસબંધમાં હતો. આ સિવાય ત્યાંથી જાણવા મળ્યું કે ગાયત્રી પણ નોકરી પર આવી નથી. આ પછી કિશોરનાં પરિવારજનોએ ગાયત્રીના ઘરે તપાસ કરી અને ત્યાંથી જાણવા મળ્યું કે તે પણ ઘરે આવી નથી.

ત્યારબાદ બધાને શક થયો કે ગાયત્રી કિશોરને ભગાડીને લઈ ગઈ છે. આ પછી હોવાનું કિશોરનાં પિતાએ આંકલાવ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ પછી આંકલાવ પોલીસે આ ગુનામાં તપાસ દરમિયાન બન્ને પ્રેમી યુગલ સુરતમાં રહેતા હોવાની ખબર પડી. આ પછી પોલીસે સુરત જઈને વરાછા વિસ્તારમાંથી ગાયત્રી અને કિશોરને ઝડપી પાડયા હતા. પોલીસે આ બન્નેને પકડીને પૂછપરછ ચાલુ કરી જેમાં જાણવા મળ્યું કે કિશોર પોતાનાં ઘરેથી પાંચ હજાર અને ગાયત્રી સાતથી આઠ હજાર રોકડ રકમ લઈને ઘરેથી ભાગ્યા હતા.

image source

આ બાદ તેમણે વરાછા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતા હતા. મકાન માલિકે જણાવ્યું હતું કે ગાયત્રીએ ત્રણ માસનું ભાડું પણ એડવાન્સ ચૂકવી દીધું હતું. ભાગીને સુરત ગયાં પછી તે કિશોર ત્યાં નોકરીએ લાગી ગયો હતો. આ સાથે પોલીસની પૂછપરછમાં એક બીજી ચોકવાનારી વાત સામે આવી હતી. આ યુવતીના અગાઉ બે વખત લગ્ન થયા હતા જેમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે. આ સિવાય તેણે કહ્યું કે તાજેતરમાં જ તેણે બોરસદ ખાતે સગાઈ પણ થઈ હતી. હાલ તે યુવતી પર તેના કરતાં નાના કિશોરને ભગાડી જવાનાં આરોપમાં કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.