કાળી ચૌદસે આ ઉપાય કરશો તો ઘરમાંથી નકારાત્મક શક્તિ થશે દૂર અને આવશે સુખ શાંતિ
દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસ ના દિવસે કાળી ચૌદસ ની ઉજવણી કરવામાં આવે છે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશ ની રાત્રી એ ભૈરવ, રૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતા જેવા ઉગ્ર ભગવાન ની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. આ રાત્રિ ને સિધ્યદાય ની રાત્રિ પણ કહેવામાં આવે છે, તેથી જ પ્રાચીન દિવસો થી કાળી ચૌદશ ની રાત્રે તંત્ર -મંત્ર-યંત્ર સિધ્ધી પ્રયોગો વિશેષ ફળદાયી હોવાથી તેનું મહત્વ છે.
આ વર્ષે કાળી ચૌદશ ત્રણ ઓકટોમ્બર 2021 ના રોજ છે. સામાન્ય લોકો પણ આ રાત્રિએ હનુમાનજી ની અનેક વિધ ઉપાસના કરી જીવનના અનેક પ્રશ્ર્નો ને હલ કરી શકે છે. તેમજ સંકટ અને બાધાઓથી મૂકિત મેળવી શકે છે. આ દિવસે સંધ્યાકાળ પછી મૃત્યુ ના દેવતા યમરાજ ને દીવો કરવામાં આવે છે.
આ દિવસ ને નાની દિવાળી પણ કહેવાય છે, આ દિવસે સ્નાન કરી શુધ્ધ વસ્ત્ર ધારણ કરી, તિલક કરી પછી દક્ષિણ દિશામાં મુખ રાખી યમરાજ ને પ્રાર્થના કરવામાં આવે છે. ઘરના દેવસ્થાનમાં, સ્નાનગૃહમાં, રસોઈ ઘરમાં, ગૌશાળામાં, બગીચામાં, તુલસી ના છોડ પાસે પ્રાર્થના કરવાથી સકારાત્મકતા મળે છે, અને પાપોનો નાશ થાય છે.
કાળી ચૌદશ કેમ ઉજવવામાં આવે છે
કાળી ચૌદશ એટલે કે ઘરમાંથી કંકાસ કાઢવાનો દિવસ. કાળી ચૌદશ ના દિવસે પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળી ની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તે ઉપરાંત આ દિવસે આત્માઓ ને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે. શનિ દોષ ને દૂર કરવા માટે આ દિવસ ને શનિ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાળી ચૌદસની પૂજાના ફાયદા
કાળી ચૌદસ ના દિવસે પૂજા કરવાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જો કોઈ દુશ્મનો એ તમારા પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે. કાળી ચૌદસ ની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે.
કાળી ચૌદસની પૂજા કેવી રીતે કરવામાં આવે છે
કાળી ચૌદસની પૂજા રાત્રે સાડા અગિયાર વાગ્યે શરૂ થાય છે, અને સાડા બાર વાગ્યા સુધી ચાલે છે. આ પૂજા દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવી જોઇએ. આ પૂજા દરમિયાન થોડી વાર માટે સરસવ ના તેલના લેપનો ઉપયોગ કરવો જોઇએ. આ પૂજામાં વડ ના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે. કાળી ચૌદશ ના દિવસે લોકો ઘરમાંથી કંકાશ કાઢવા જૂના ઝાડૂ-જૂના માટલા કાઢી તેની જગ્યાએ નવા ઝાડુ અને માટલા મૂકે છે. આ ક્રિયા સાંજે સંધ્યાકાળ પછી કરવામાં આવે છે. આજે લોકો વડા, પૂરી, સૂરણ તળી ને વેફર્સ બનાવશે તેને મધ્યાહન અથવા સાંજના સમયે હનુમાનજી, ભૈરવદેવ ના મંદિરમાં મૂકશે. આ ક્રિયા પરિવાર ના બધા લોકો નું રક્ષણ થાય તે હેતુથી કરવામાં આવે છે.