બળાત્કાર કર્યા બાદ મહિલાની કરવામાં આવી હત્યા, ફ્રિઝમાંથી મહિલાની લાશ મળતા લોકોમાં ફફડાટ
સરકારી ક્વાર્ટરના ફ્રિઝમાંથી મળી નગ્ન અવસ્થામાં મહિલાની લાશ, બળાત્કાર બાદ કરાઈ હતી હત્યા
મહિલાઓ સાથે અત્યાચારની અવારનવાર ખબરો સામે આવે છે. દેશના અનેક ખૂણાઓમાં આજે પણ મહિલાઓ સુરક્ષિત નથી એમ કહી શકાય છે. કારણ કે જો મહિલાઓ સુરક્ષિત હોય તો પછી વારંવાર જે બળાત્કાર અને હત્યાની ખબરો આવે છે, એ ક્યાંથી આવતી હશે. શું ખરેખર માણસમાં એટલી વિકૃતિ આવી ગઈ છે કે એને પોતાના પાશવી આનંદ સિવાય કશુય દેખાતું જ નથી. આ બધા જ પ્રશ્નો સાવ અસ્થાને નથી. હરિયાણામાં જે ખબર આવી છે એ વાંચીને આ જ સ્થિતિ તમે પણ અનુભવી શકશો.
આ ઘટના હરિયાણાના એક સરકારી ક્વાર્ટરમાં ઘટી છે. આ ઘટનાને જોઇને તપાસ માટે આવેલા પોલીસવાળા પણ ચોંકી ગયા હતા. અહીના એક સરકારી ક્વાર્ટરમાંથી તપાસ દરમિયાન ફ્રિઝની અંદર 57 વર્ષીય મહિલાની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. પોલીસકર્મીઓએ મળેલી માહિતના આધારે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, જો કે વર્તમાન સમય સુધી આ મર્ડર મિસ્ટ્રી અંગે કોઈ પણ સફળતા પોલીસને મળી શકી નથી.
પાડોશીઓએ પોલીસને જાણ કરી
મૃતક મહિલા રેલ્વે વર્કશોપની કેન્ટીનમાં કામ કરતી હતી તેમજ ત્યાં આપવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં જ રહેતી પણ હતી. જો કે સતત બે દિવસ એના ઘરમાં કોઈની પણ આવજાવ અને હલનચલન અનુભવાઈ ન હતી. જો કે રોજ કામ પર આવતી અને જતી આ મહિલા અચાનક દેખાતી બંધ થઇ ગઈ હતી. જો કે સતત બે ત્રણ દિવસ સુધી ઘરમાં કોઈ પ્રકારની આવજાવ ન દેખાતા પાડોશમાં રહેતા લોકોએ પોલીસમાં જાન કરી હતી.
ફ્રીજમાં મળ્યું મહિલાનું ઝખ્મી શવ
મહિલાના ઘરમાં તપાસ કરતા પોલીસને જે દ્રશ્ય જોવા મળ્યું હતું એ જાણીને સૌ કોઈ ચોકી ઉઠયા હતા. પોલીસે જ્યારે પડોશી દ્વારા મળેલ માહિતી પછી ઘરમાં તપાસ માટે પ્રવેશ કર્યો ત્યારે પણ ત્યાં સ્મશાન જેવું મૌન પથરાયેલું હતું. પોલીસની ટીમે જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે એમને ઘરમાંથી નગ્ન અવસ્થામાં મહિલાનું શવ મળી આવ્યું હતું. આ શવ ફ્રીજમાં મુકવામાં આવ્યું હતું. જે તપાસ સમયે આ શવ અડધું ફ્રિઝમાં અને અડધું બહાર લટકતી અવસ્થામાં મળ્યું હતું. ત્યા હાજર એસપીએ આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે વધારે માહિતી મેળવવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની જરૂર પડશે.
બળાત્કાર કર્યા બાદ મહિલાની હત્યા કરવામા આવી
આ ઘટના મંગળવારે મોડી રાતે યમુનાનગરની રેલવે વર્કશૉપ કોલોનીથી સામે ઘટી હતી. અહી સરોજ નામની મહિલા કે જેની ઉમર 57 વર્ષ આસપાસ છે તેની હત્યા કરીને લાશને ફ્રીજમાં મૂકી દેવામાં આવી હતી. 57 વર્ષીય મહિલાની હત્યાથી આસપાસના વિસ્તારમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સૂચના મળતાની સાથે જ યમુનાનગરના એસપી કમલદીપ ગોયલ ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા કરતા પહેલા મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એની ઘાતકી હત્યા પણ કરવામા આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત