મોટો ધડાકો: સુશાંંતના ફ્રેન્ડ સંદીપે શેર કર્યો સુશાંત સાથે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ, અને કહ્યું “મારી ભૂલ હતી કે….”

સંદીપ સિંહે શેર કર્યો સુશાંત સાથે થયેલી ચેટનો સ્ક્રીનશોટ, કહ્યું “મારી ભૂલ હતી કે….”.

સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે એમના મિત્ર સંદીપ સિંહ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. સંદીપ સિંહ સુશાંત સિંહ રાજપૂતના મોત પછી એમના પોસ્ટમોર્ટમથી લઈને અંતિમ સંસ્કાર સુધીના બધાંજ જરૂરી કામોમાં આગળને આગળ દેખાયા હતા.

image source

એટલું જ નહીં એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી સંદીપ સિંહ ઘણી જગ્યાએ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર વતી બયાન આપતા અને એમની બહેન મિતું સિંહને પણ સંભાળતા નજરે આવ્યા હતા. પણ સંદીપ સિંહને લઈને ત્યારે સવાલ ઉઠવા લાગ્યા જ્યારે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના લોકોએ તેમને ઓળખવાનો ઇનકાર કરી દીધો.

image source

એવામાં સુશાંત સિંહ રાજપૂતની સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થયેલી મોત અંગે સંદીપ સિંહની ગતિવિધિઓ પર પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. પણ હાલમાં જ સંદીપે સોશિયલ મીડિયા દ્વારા પોતાના પર લગાવવામાં આવેલ આરોપો અંગે મૌન તોડ્યું છે. અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની અને સુશાંત સિંહ રાજપૂતની દોસ્તી વિશે જણાવ્યું છે. સંદીપ સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુશાંત સિંહ રાજપૂત સાથે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

image source

પોતાની પોસ્ટમાં સંદીપ સિંહે લખ્યું છે કે ” હર કોઈ કહી રહ્યું છે કે તમારો પરિવાર મને નથી ઓળખતો. હા, એ વાત સાચી છે, હું ક્યારેય તમારા પરિવારને મળ્યો નથી. પણ શું ભાઈના અંતિમ સંસ્કારને પુરા કરવા માટે આ શહેરમાં એક દુઃખી બહેનની મદદ કરવી એ મારી ભૂલ છે? હું બસ અટકળો ખતમ કરવા માગું છું કે હું એમના બયાન છતાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર સાથે વાત કેમ કરી રહ્યો હતો”.

 

View this post on Instagram

 

A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on

સંદીપ સિંહના કહેવા અનુસાર, એમને આવું એટલે કર્યું કારણ કે એમના પર વારંવાર સુશાંત સિંહના મોત મામલે સંડોવણીના આરોપ લગાવવામાં આવી રહયા છે. જ્યારે એ 14નજુને સુશાંત સિંહ રાજપૂતના ઘરે ફક્ત એમના મૃત્યુના સમાચાર સાંભળીને પહોંચ્યા હતા. સંદીપે આ સિવાય બીજી પણ પોસ્ટ શેર કરી છે જેમાં એમને આ સમગ્ર બાબતે પોતાની સફાઈ આપી છે અને પોતાના પર લાગેલા આરોપોને તથ્ય વગરના કહ્યા છે.

image source

સંદીપ સિંહે સુશાંત સિંહ સાથેની ચેટ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતની બહેન અને એમના જીજાજી સાથે થયેલી ચેટને પણ લોકોની સામે રજૂ કરી છે. સંદીપે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર એમને ઓળખે છે.

તમને જણાવી દઈએ કે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની લાશ 14 જુનના રોજ એમના ફ્લેટ પરથી મળી હતી. શરૂઆતમાં આ એક આત્મહત્યાનો કેસ હોય એમ સામે આવ્યું હતું પણ હવે આ કેસમાં CBI તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત