ઠંડીની ઋતુમાં મળી રહેતું આ સુપરફૂડ બચાવે છે અનેક ભયંકર બીમારીઓથી, ભૂલ્યા વગર અચુક કરો સેવન
મિત્રો, શક્કરિયા એ આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારક સાબિત થાય છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા વિટામિન-એ, વિટામીન બી-૫, વિટામીન બી-૬, થાયમિન, નિયાસિન, રીબોફ્લેવિન અને કેરોટીનોઈડ્સ વગેરે જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે ઠંડીની ઋતુમા નિયમિત આ વસ્તુનુ સેવન કરો તો તમને અનેકવિધ ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળી રહે છે. તો ચાલો જાણીએ તેના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે.
બ્લડપ્રેશરની સમસ્યા નિયંત્રણમા રહે છે :
જો તમે આ વસ્તુનુ નિયમિત સેવન કરો તો તમને બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરવામા સહાયતા મળી રહે છે. આ સિવાય આ શક્કરિયાની સબ્જીમા સમાવિષ્ટ પોટેશિયમ એ આપણા હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય તે હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓમાથી પણ તમને મુક્તિ મળી શકે છે.
કેન્સરની સમસ્યામાંથી મુક્તિ મળે છે :
આ વસ્તુ એ કેન્સરનુ જોખમ ઘટાડવામા ખુબ જ સહાયરૂપ સાબિત થશે. તેમા બીટા કેરોટીનનો એક સ્રોત સમાવિષ્ટ હોય છે. આ એક પ્લાન્ટ પિગમેન્ટ છે, જે શરીરમા શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે. આ એન્ટીઓક્સિડેન્ટ્સ પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સર સહિત અનેકવિધ પ્રકારના કેન્સરના જોખમને ઘટાડવામાં સહાયરૂપ સાબિત થઇ શકે છે.
ઈમ્યૂનિટી વધારવા માટે સહાયરૂપ સાબિત થાય છે :
આ વસ્તુ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા ખુબ જ સહાયરૂપ માનવામા આવે છે. આ ઠંડીની ઋતુમા ઉધરસ, શરદી, વાયરલ તાવ જેવી સમસ્યાઓ સહિત અનેકવિધ સમસ્યાઓના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી થવા લાગે છે. એવામા આ સબ્જીમા સમાવિષ્ટ વિટામિન-સી એ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે. આ સિવાય આ સબ્જી શરીરમા લોહતત્વ શોષવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે અને લોહીની ઉણપને દૂર કરવામા સહાયરૂપ સાબિત કરે છે.
નેત્રો સાથે સંકળાયેલ સમસ્યાથી દૂર થાય છે :
આ સબ્જી આંખો માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ વસ્તુનુ સેવન કરવાથી તમારી દૃષ્ટિ ખુબ જ સારી રહે છે. આ સિવાય જો તમે તમારી આંખોને લાંબી ઉંમર સુધી તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો આજથી તમારા ભોજનમા શક્કરિયાને અવશ્યપણે સામેલ કરો.
કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે :
આ સબ્જીમા પુષ્કળ માત્રામા ફાયબર મળી આવે છે, તેથી જો તમે તેનુ સેવન કરશો તો તે તમારી પાચનક્રિયાને મજબુત બનાવવામા સહાયરૂપ સાબિત થઇ જશે. આ સાથે જ તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામા પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
એનિમિયાની સમસ્યામાંથી રાહત મળે :
આ સિવાય આ શક્કરિયાની સબ્જી તમારી એનિમિયાની સમસ્યાને દૂર કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તેમા ખુબ જ સારા પ્રમાણમા લોહતત્વ સમાવિષ્ટ હોય છે. લોહતત્વની અછતને કારણે આપણા શરીરમા ભરપૂર ઉર્જા રહેતી નથી. આ સિવાય તેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ અસર થાય છે અને લોહીના કોષો યોગ્ય રીતે ઉત્પન્ન થતા નથી. તેથી, શક્કરિયા આયર્નની ઉણપને દૂર કરવામા મદદગાર સાબિત થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત