સુશાંતના ડોક્ટરે અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો, કહ્યું સુશાંત અંકિતાને મિસ કરતો હતો જ્યારે રિયાની સાથે..
સુશાંતના ડોક્ટરે અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો, કહ્યું સુશાંત અંકિતાને પણ મિસ કરતા હતા
સુશાંત સિંહ દ્વારા કરાયેલ આત્મહત્યા પછી અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા સમયે બિહારમાં સુશાંતના વકીલ દ્વારા કરવામાં આવેલ કેસ પછી આ મામલો વધુ ગંભીર રૂપ લઇ રહ્યો છે. જો કે સુશાંતના ડોકટર સાથે પણ આ બાબતે જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે એમણે અનેક રહસ્યો જાહેર કકર્યા હતા. આ વાતચીતમાં સુશાંતના સાઇકિયાટ્રિસ્ટે પોલીસ સામે અંકિતા અને રિયા વિશે ખુલાસો કર્યા છે.
સુશાંત પાછળના છ મહિનાથી ડીપ્રેશનમાં હતા
સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કયા કારણે કરી હતી? જો કે અત્યારે અનેક લોકોના મનમાં આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો દોડી રહ્યા છે. જો કે આ સામે અનેક મુદ્દાઓ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. આ મુદાઓમાં કામનો અભાવ, અંકિતા લોખંડે સાથેનું બ્રેકઅપ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલો તણાવ, નિર્માતાઓ સાથેના મતભેદ, રિયા સાથેનું ટેન્શન, પ્રોડક્શન હાઉસ દ્વારા થયેલો બહિષ્કાર જેવા અનેક પ્રશ્નો લોકોના મગજમાં ઘુમળાઈ રહ્યા છે.
જો કે આ બધાના કારણે અથવા અન્ય કારણોને લઈને સુશાંત પાછળના છ મહિનાથી ડીપ્રેશનમાં હતા, જેનો ઉપચાર પણ એક ડોક્ટર પાસે તેઓ કરાવી રહ્યા હતા. હાલમાં જ ચાલી રહેલી અફવાઓ વચ્ચે પોલીસ દ્વારા તેમના મનોચિકિત્સકની પૂછપરછ કરવામાં આવી હતી, આ વાતચીતમાં અનેક પ્રકારના ખુલસા પણ થયા છે.
છેલ્લા એક વર્ષથી તેઓ ડીપ્રેશનનો શિકાર હતા : ડોક્ટર
સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી સૌથી પહેલા છેલ્લા 6 મહિનાથી ડિપ્રેસનમાં હોવાનું સામે આવ્યું હતું. આ ડીપ્રેશનના ઈલાજ માટે તેઓ મનોચિકિત્સકને પણ મળતા હતા. તપાસ દરમિયાન સુશાંતને ડોક્ટરની ફાઈલ મળી આવી હતી, આ આધારે પોલીસે ડોક્ટર સાથે પણ વાતચીત કરી હતી. આ વાતચીતના આધારે તેમના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. જો કે આ પુછપરછ દરમિયાન સુશાંતના ડોકટરે અનેક ઘટસ્ફોટ કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સુશાંત છેલ્લા 6 મહિનાથી એમના સંપર્કમાં હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ ડીપ્રેશનનો શિકાર હતા.
સુશાંત એક વાતને અલગ અલગ રીતે વિચારતા હતા
ડોક્ટર દ્વારા પોલીસને અપાયેલા નિવેદનોમાં એમણે પોતાની લવ લાઈફ વિશે અનેક બાબતો જણાવી હતી. એમણે જણાવ્યું હતું કે અંકિતા સાથેના બ્રેક્પ પછી થોડા દિવસ તો બધું જ બરાબર હતું પણ પછી એમની લવ લાઈફ જરાય સારી ન હતી. જો કે અંકિતા પછી એમના જીવનમાં કૃતિ સેનન આવી હતી જો કે આ સબંધ પણ લાંબો સમય ટક્યો ન હતો. સુશાંતે એમના ડોકટરને જણાવ્યું હતું કે આ બધાથી એ રાત્રે સુઈ પણ નોહતો શકતો. એના મનમાં વિચિત્ર પ્રકારના વિચારો આવતા હતા.
કેટલાક અસફળ સંબંધો તેને હમેશા એ વાતની અનુભૂતિ કરાવતા હતા કે તે આજે પણ અંકિતા કરતા વધારે કોઈને પસંદ કરતો નથી. ડોકટરે આ અંગે જણાવ્યું હતું કે સુશાંત દ્વિધ્રુવી (બાયપોલર) વ્યક્તિ હતો. એટલે કે, સુશાંત એક જ વાતને અલગ અલગ પ્રકારે વિચારતા હતા.
સુશાંત અને રિયા વચ્ચે ઝગડો થયો હતો
ડોક્ટર સામે સુશાંતે રિયા ચક્રવર્તી અંગે પણ કહ્યું હતું. સુશાંતે જણાવ્યું હતું કે એક નજીકના મિત્ર દ્વારા તેઓ રિયાને મળ્યા હતા. આ સમયે રિયા પોતાની એક સ્ત્રી મિત્ર સાથે વર્સોવામાં રહેતી હતી. કેટલાક દિવસ પછી સુશાંત રિયાને પોતાના ઘરે લાવ્યા હતા અને અહેવાલ મુજબ ડોકટરે આગળ જણાવ્યું હતું કે સુશાંતે અભિનેત્રી રિયા સાથે પોતાના સબંધો અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેના કારણે સુશાંત અને રિયા વચ્ચે ઝગડો થયો હતો. રીયાએ એમને આ પોસ્ટ ડીલીટ કરવા માટે મજબુર કર્યા હતા
અંકિતા સાથે લાગણીઓથી જોડાયેલા હતા
ડોકટરે પોલીસને જણાવ્યું હતું કે સુશાંત હંમેશા અંકિતાની કમી અનુભવતો હતો અને બસ એમને જ યાદ કરતા રહેતા હતા. સુશાંતે ડોક્ટરને જણાવ્યું હતું કે એ અંકિતા સાથે લાગણીઓથી ગણા જોડાયેલા હતા. એમને અહેસાસ થઇ ગયો હતો કે અંકિતા સાથે બ્રેક્પ કરીને એમણે મોટી ભૂલ કરી હતી. સુશાંત પાછળના ૬ મહિનામાં માત્ર ૩ જ વાર ડોક્ટરને મળ્યા હતા. લોકડાઉનથી પહેલા ડોક્ટરને મળવા માટે એમણે સમય લીધો હતો પણ પછી લોકડાઉન લાગુ થયું અને આ પછી સુશાંતની ડોક્ટર સાથે મુલાકાત થઇ શકી ન હતી.
source : news18
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત