શહનાઝ ગિલના આ શબ્દો સાંભળી તમે પણ રડી પડશો, આવી રીતે કહ્યું સિદ્ધાર્થને અલવિદા
ના કરીશને એવું સિદ્ધાર્થ…કેમ મને પરેશાન કરે છે….તું 70ની થઈ જઈશ અને હું જીવતો હોઈશને….તને કઈ પણ તકલીફ હોય મને કોલ કરજે..આવી જ ન જાણે કેટલી અગણિત પ્યારી અને સુંદર વાતો હતી જે શહનાઝ અને સિદ્ધાર્થે બિગ બોસના ઘરમાં એકબીજા સાથે કરી હતી..આ તો એ વાતો હતી જે દર્શકોની સામે થઈ હતી પણ અમુક એવા પણ દિલના હાલ રહ્યા હશે જે સિદ્ધાર્થ અને શહનાઝે એકબીજા સાથે શેર કર્યા હશે.
સિદ્ધાર્થના ગુજરી ગયા પછીથી લોકો હજી પણ એ ગડમથલમાં છે લે સિદ્ધાર્થ અને શહનાઝનો સંબંધ શુ હતો? શુ એ દોસ્તી હતી, પ્રેમ હતો, મસ્તી હતી? અને આ બધાનો જવાન શહનાઝે શો દરમિયાન જ આપી દીધો હતો જ્યારે એમને કહ્યું હતું કે અમારા બન્ને વચ્ચે કંઈક તો છે,બસ કંઈક છે
આ મિત્રતા અને પ્રેમના સંબંધમાં બંધાયેલા સિદ્ધાર્થે શહનાઝને ઘણા વાયદા કર્યા હતા અને જ્યારે 2 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ બધા વાયદા તોડીને ચાલ્યો ગયો તો શહનાઝ બેસુધ થઈ ગઈ હતી. જે ચહેરાને દર્શકોએ ફક્ત ખીલખીલતો જોયો હતો એ ચહેરા પર અપાર દુઃખ જોઈ લોકોની આંખો ભરાઈ આવી.
અભિનેત્રી સંભાવના શેઠે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કેવી રીતે સિદ્ધાર્થના પાર્થિવ શરીર સામે શહનાઝ બેસુધ હાલતમાં બેઠી હતી અને એમને છેલ્લા શબ્દ જે સિદ્ધાર્થને કહ્યા હતા એ હતા સિદ્ધાર્થ મેરા બચ્ચા.
સંભાવના શેઠે આગળ કહ્યું કે સિદ્ધાર્થની માતાની પણ ખરાબ હાલત હતી. હજી તો ભીડ છે પણ જ્યારે લોકો જતા રહેશે તો એ દુઃખ સહન કરવું એમના માટે વધુ મુશ્કેલ થઈ પડશે. એ એક મજબૂત સ્ત્રી છે પણ કાલે એમના હાલ કંઈક અલગ જ હતા. અમારી એવી હાલત છે કે પૂછશો જ નહીં. જોઈને એવું લાગી રહ્યું છે કે જો આ થઈ શકે છે તો કઈ પણ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે 3 સપ્ટેમ્બરના રોજ ઓશિવારા સ્મશાન ઘાટ પર સિદ્ધાર્થ શુકલાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. એમના અંતિમ સંસ્કારમાં પરિવારના લોકો સિવાય મનોરંજન જગતના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા. શહનાઝ ગિલ પણ સ્મશાન ઘાટ પહોંચી તો સિદ્ધાર્થ કહીને એમ્બ્યુલન્સ તરફ દોડી. એ બિલકુલ એવી રીતે બુમો પાડતી ગઈ જાણે ઈચ્છી રહી હોય કે સિદ્ધાર્થ એમને જવાબ આપીને ગળે વળગાડી દે પણ પહેલીવાર એવું થયું જ્યારે શહનાઝનો અવાજ સાંભળીને પણ સિદ્ધાર્થ ચૂપ રહ્યા.
સિદ્ધાર્થના અંતિમ સંસ્કારની પૂજા કર્યા પછી શહનાઝ એમની માતાના ખોળામાં સુઈ ગઈ. સિદ્ધાર્થની માતા અને એમની મિત્ર શહનાઝના દિલ પર શુ વીતી રહી હશે એ વાતનો અંદાજો કોઈ નથી લગાવી શકતું. એક માતાએ એમનો દીકરો ખોઈ દીધો અને શહનાઝે પોતાનો સૌથી સારો મિત્ર. શાહનાઝ ખૂલીએ કહેતી હતી કે એ સિદ્ધાર્થને પ્રેમ કરે છે. એવી ખબર પણ સામે આવી રહી છે કે સિદ્ધાર્થ અને શહનાઝ લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા પણ હાથ પકડતા પહેલા જ સિદ્ધાર્થ હાથ છોડીને ચાલ્યા ગયા.
સિદ્ધાર્થ શુકલા અને શહનાઝ ગિલની દોસ્તી બિગ બોસથી શરૂ થઈ અને શો ખતમ થયા પછી પણ એવીને એવી જ રહી હતી. બન્ને એકબીજાના સુખ દુઃખમાં સામેલ થયા હતા. એક ઇન્ટરવ્યૂમાં શહનાઝે કહ્યું હતું કે હું મારા અને સિદ્ધાર્થ માટે પ્રાર્થના કરું છું, તમે નથી જાણતા શુ ખબર અમે બન્ને એક થઈ જઈએ.