પ્રેમનો કરુણ અંજામ: પ્રેમી યુગલની મોતની છલાંગ, સ્યુસાઈડ નોટમાં બન્નેના સાથે અગ્નિસંસ્કાર કરવાની અપીલ

બનાસકાંઠાના દિયોદર ખાતે એક કમકમાટી ઊપજાવનાર ઘટના બની છે. અહી એક પ્રેમી યુગલે લગ્ન ન થઈ શકવાના કારણે સજોડે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બંનેએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે.

image source

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર દિયોદરના નોખા પાસે નર્મદા કેનાલમાં એક યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવ્યાની જાણ લોકોને થતાં તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી કેનાલમાંથી બે મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આત્મહત્યા કરનાર યુવક અને યુવતી બંને એકબીજાના પ્રેમમાં હતા પરંતુ લગ્ન ન થઈ શકવાના કારણે તેમણે જીવન ટુંકાવ્યું હતું.

image source

મૃતકો અંગે મળતી વધુ માહિતી અનુસાર સ્થાનિક એવા શ્રણવ ઠાકોરને ગામમાં રહેતી અને સંબંધે તેની માસીયાઈ બહેન થતી નર્મદા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા પરંતુ પારિવારીક સંબંધના કારણે તેમના લગ્ન થઈ શકે તેમ ન હતા તેથી તેમણે એકસાથે કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું.

image source

આત્મહત્યા કરનાર યુવક અને યુવતીની લાશ સવારથી શોધવાની શરુઆત કરવામાં આવી હતી. પરંતુ બપોર બાદ લાશ મળી આવી હતી. બંનેના મૃતદેહને દિયોદરની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

જાડા ગામના આ પ્રેમી યુવક અને યુવતી એ આત્મહત્યા કરતાં પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે માતા-પિતાની માફી માંગી તેમની અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના અગ્નિસંસ્કાર એક સાથે કરવામાં આવે.

image source

યુવકે લખેલી સ્યુસાઈડ નોટમાં પરિવારને ઉલ્લેખીને લખેલું હતું કે, “ હું તમને છોડીને જાઉં છે કારણ કે મારી પ્રેમિકા વિના હું જીવી શકું તેમ નથી. મારી પ્રેમિકા પણ મારા વિના રહી શકે તેમ નથી. અમે સાથે ક્યારેય જીવી શકીશું નહીં તેથી આ વિચારીને અમે આ પગલું ભરીએ છીએ. મારાથી કંઈ ભુલ થઈ હોય તો માફ કરજો અમે સાથે જીવી શક્યા નહીં પણ અમારા અગ્નિસંસ્કાર સાથે કરી અમારી ઈચ્છા પુરી કરજો. મારે મારા માતાપિતાને દુખી કરવા નથી તેથી આ પગલું ભરું છું. મારી પ્રેમિકા પણ મને પ્રેમ કરે છે અને બીજા કોઈની બનવા માંગતી નથી તેથી આમ કરવા સિવાય અમારી પાસે બીજો રસ્તો નથી. “ આ લખાણ નીચે બંનેએ સહી પણ કરી હતી. મૃતક યુવક અને યુવતી સગા માસીયાઈ ભાઈ- બહેન હતા. તેથી સામાજિક દ્રષ્ટિએ તેઓ લગ્ન કરી શકે તેમ ન હતા. આ કારણે તેમણે મોતને વહાલું કરી લીધું. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!