અમદાવાદનો અજીબ કિસ્સો, કાર નહીં પણ ચોરોએ એક અઠવાડિયામાં 21 લાખના સાયલેન્સરની કરી ચોરી, કારણ ચોંકાવનારું
અમદાવાદમાં ઇકો વાનના રૂપમાં ચોરોના હાથે ‘જેકપોટ’ લાગી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં ચોરોએ આ વાહનના સાયલેન્સર માટે હાથ સાફ કર્યા હતા. સ્થિતિ એવી છે કે એક અઠવાડિયામાં 21 લાખ રૂપિયાના સાયલન્સરો ચોરાઈ ગયા હતા. ચોરોની નજર સોના કરતાં વધુ કિંમતી વસ્તુ પર હોય છે.
છેવટે આ ચોરીમાં અને વસ્તુમાં શું ખાસ છે? તો આવો વિગતે જાણીએ તેના વિશે. એક અઠવાડિયામાં 33 મારુતિ ઇકો વાન ગુમ થઈ ગઈ છે. અમદાવાદના બે મોટા કાર ડીલરો – સનાથલમાં કિરણ મોટર્સ અને બકરોલમાં લોકપ્રિય મારુતિ સુઝુકી મોટર્સ સ્ટોકયાર્ડ્સ પર બનેલી આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
આખરે આ સાયલેન્સર્સ ક્યાં જાય છે? એ પ્રશ્ન સાથે સાથે કઈ રીતે તે ચોરો માટે જેકપોટ્સ બની ગયું છે? એવા ઘણા પ્રશ્નો હતા, જે પોલીસને પજવતા હતા. પરંતુ જ્યારે પ્રશ્ન ઉકેલાઈ ગયો ત્યારે ખૂબ જ વિશિષ્ટ કારણોસર રહસ્ય પરથી પડદો ઉતરી ગયો હતો, જેના કારણે મારુતિ ઇકો વેનના સાયલન્સર્સ ચોરાઇ રહ્યા હતા.
ઇકો વાન સાયલેન્સરની કિંમત આશરે 57 હજાર 272 રૂપિયા હોય છે. આ બંને કાર સ્ટોકયાર્ડમાંથી ચોરોએ કુલ 20 લાખ 59 હજારની કિંમતના સાયલન્સર્સની ચોરી કરી હતી. આ ચોર આ સાયલેન્સર્સનું શું કરે છે તે તપાસમાં ઘટસ્ફોટ થયો હતો અને પોલીસે તમામ માહિતી આપી હતી.
તો કારણ કંઈક એવું છે કે સાયલેન્સરમાં ઉત્પ્રેરક કન્વર્ટર છે, જે પ્લેટિનમ ગ્રુપ ઓફ મેટલ્સ (પીજીએમ) થી બનેલું છે. પ્લેટિનમ, પેલેડિયમ અને રોહોડિયમને સંયુક્ત રીતે પીજીએમ કહેવામાં આવે છે. તેમની કિંમત સોના કરતાં પણ વધારે છે. ચોરી કર્યા બાદ આ મેટલ ડસ્ટને સુરત અને અમદાવાદ જેવા સ્થળોએ મોટા ઉદ્યોગને વેચી દેવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા મુજબ 10 ગ્રામ મેટલ ડસ્ટની કિંમત 3 હજારથી 6 હજાર રૂપિયા સુધીની છે. ઉપરાંત, સેન્સર પણ ભારતની બહારથી આવે છે, જેની કિંમત 10,000 રૂપિયા છે. છેલ્લા ઘણા દિવસોથી આ રમત ચાલુ હતી. ચોરીના એક-બે બનાવની અવગણના કરવામાં આવી હતી. પરંતુ પોલીસને મોટી સંખ્યામાં ચોરીની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ચોરો પોલીસના હાથમાં આવી ગયા હતા.
અમદાવાદમાં આ સિવાય પણ ચોરી અને લૂંટના બનાવો બનતા રહે છે. નવા વર્ષમાં રામોલ વિસ્તારમાં હત્યા, મેઘાણીનગરમાં હત્યા અને કરોડોની લૂંટ, કૃષ્ણનગરમાં લૂંટ, ત્યારબાદ નિકોલમાં લૂંટની ઘટનાઓ બની હતી. આ તમામ ગુનાઓના ભેદ તો ઉકેલાય ગયા છે પરંતુ હવે ફરી પોલીસની ચિંતા વધી છે. પાલડી વિસ્તારમાં આવેલી એક બેંકની બારીઓના સળિયા તોડી લૂંટેરાઓ બેંકમાં ઘુસી આવ્યા.
ચોરોએ ચોરી કરવા માટે બેંકની અંદર બધુ વેરણ છેરણ કરી નાખ્યું હતું. જો કે, ચોરી ન કરી શકતા પોલીસે થોડો રાહતનો શ્વાસ લીધો છે. આ વાત છે ઘોડાસર વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ નંદનવારની કે જેઓ પાલડી શારદા મંદિર રોડ પર આવેલી બેંક ઑફ બરોડાની બ્રાન્ચ ખાતે દોઢ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવે છે. ત્યાં આ ઘટના ઘટી હતી અને હવે લોકોમાં પણ આ ચોરીની ચર્ચા કરવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત