દિવ્યા ભટનાગરના મૃત્યુ બાદ પહેલીવાર સામે આવ્યો આ વિડિયો, પ્રેયર મીટમાં પરિવાર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો
અભિનેત્રી દિવ્યા ભટનાગરના મૃત્યુ અને અંતિમ સંસ્કાર બાદ તેમના ઘરના લોકોએ તેમની આત્માની શાંતિ માટે પ્રેયર મીટનુ આયોજન કર્યુ હતું. આ દરમિયાન એક વડિયો સોશિયલ મડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં દિવ્યાના મિત્રો તેમજ તેમના પરિવારજનો આઘાતમાં દેખાઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વિડયોમાં તમે જોઈ શકો છો કે દિવ્યાનવી યાદમાં બધા જ દુઃખી દુઃખી છે અને એકબીજાને ભેટી ભેટીને સંભાળી રહ્યા છે. થોડા દિવસો પહેલાં દિવ્યાએ દુનિયાને અલવિદા કહી દીધું. 7મી ડિસેમ્બરે ટેલિવિઝ અભિનેત્રિ દિવ્યા ભટનાગરનું કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ થઈ ગયુ હતું. તેમના અચાનક મૃત્યુથી તેમના ફેન્સ, મિત્રો તેમજ તેમનું કુટુંબ આઘાતમાં છે.
તો બીજી બાજુ દિવ્યાના મૃત્યુ બાદ તેમના પતિ ગગને લઈને ઘણા બધા શોકિંગ ખુલાસા થઈ રહ્યા છે. ગગન પર દિવ્યાના પરિવારજનોએ અને તેમના મિત્રોએ કેટલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. દિવ્યાની બેસ્ટ ફ્રેન્ડ દેવોલીના ભટ્ટાચાર્યએ એક વિડિયો શેર કરી ગગન પર દિવ્યાને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે સાથે જ દિવ્યાના ભાઈ દેવાશીષે પણ દિવ્યાના પતિ
ગગન વિરુદ્ધ ઘરેલુ હિંસાનો મામલો નોંધાવ્યો છે. દિવ્યાના પરિવારે આરોપ લગાવ્યો છે કે ગગન દિવ્યા સાથે મારપીટ કરતો હતો અને સાથે સાથે તેને માનસિક રીતે પણ ટોર્ચર કરતો હતો. દિવ્યાના ભાઈને તેના કબાટમાંથી 7 નવેમ્બરે લખેલી એક નોટ મળી છે, જેમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે. તે પત્રમાં દિવ્યાએ પોતાની સાથે થયેલી મારપીટ અને ગાળો વિષે પણ લખ્યું છે.
દિવ્યાએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ લગ્ન કર્યા હતા. આ લગ્ન દિવ્યાએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ કર્યા હતા. જે વિષે તેમના પતિ ગગન ગબરુ પણ જણાવી ચુક્યા છે. મડિયા રિપોર્ટ્સ પ્રમાણે તો દિવ્યા અને ગગન લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યાર બાદ દિવ્યા ગગને મુંબઈ લઈને આવી ગઈ હતી.
કહેવાય છે કે દિવ્યાના લગ્નમાં ખૂબ જ ઓછા લોકોએ હાજરી આપી હતી. ગયા દિવસોમાં એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શેર કરતા ખુલાસો કર્યો હતો કે દિવ્યા પોતાની પર્સનલ લાઇફમાં ખૂબ દુઃખી હતી. તેમણે દિવ્યાના પતિ ગગન પર દિવ્યા સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેણીને એક્સપોઝ કરવાની ધમકી પણ આપી હતી.
દિવ્યા ભટનાગરે સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં ગુલાબોનું પાત્ર ભજવ્યું હતું. તેના મૃત્યુના સમાચાર તેની મિત્ર દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરની એક પોસ્ટ દ્વરા આપી હતી. તેણીએ તેણીના મૃત્યુના સમાચાર આપતા એક ઇમોશનલ પોસ્ટ લખી હતી તેણીએ લખ્યું હતું, ‘જ્યારે કોઈ કોઈની સાથે નહોતું ત્યારે બસ તું જ હતી. દિવ્યુ તુ જ મારી પોતાની હતી જેના પર હું
ગુસ્સે પણ થઈ શકતી, નારાજ પણ થઈ શકતી, હૃદયની બધી જ વાત કહી શકતી હતી. મને ખબર છે કે જીવનમાં તારા માટે ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. પીડા અસહનીય થઈ ગઈ હતી. પણ મને ખબર હતી કે હવે તું સારી જગ્યાએ હોઈશ અને બધા જ દુઃખ પીડા, ઉદાસી, દગા અને જૂઠથી આઝાદ થઈ જઈશ.
View this post on Instagram
હું તને ખૂબ મિસ કરીશ દિવ્યુ. તું જાણતી હતી કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તારી કેટલી ચિંતા કરું છું. મોટી તું હતી પણ બાળક પણ તુ જ હતી. ભગવાન તારી આત્માને શાંતિ આપે. તું જ્યાં પણ છે, બસ ખુશ રહે. તને ખૂબ યાદ કરવામા આવશે. દિવ્યા ભટનાગર તું ખૂબ જલદી જતી રહી મારી દોસ્ત. ઓમ શાંતિ.’
View this post on Instagram
મિડિયા રિપોર્ટ પ્રમાણે થોડા સમય પહેલાં દિવ્યા ભટનાગર કોરોના વાયરસનો શિકાર થઈ હતી. ત્યાર બાદ તણીને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં એડમિટ કરવામા આવી હતી. તેણીને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો. તેના કારણે તેણીની સ્થિતિ ઓર વધારે ગંભીર બની ગઈ હતી. તે કારણસર તેમને વેન્ટિલેટર પર રાખવામા આવી હતી. વેન્ટિલેટર પર કેટલાએ દિવસો સુધી જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડી રહેલી દિવ્યાએ હવે હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત