કાળજું કંપાવનારી ઘટના, પથારીમાં પેશાબ કરી જતાં દીકરાને પિતાએ મારી નાખ્યો, પછી લાશને બેગમાં મૂકીને…

એવી એક કહેવત આપણે ત્યાં પ્રચલિત છે કે છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય, પણ હાલમાં જે ઘટના બહાર આવી એમાં કઈક અલગ જ ઘટના બની છે અને આ કિસ્સો સાંભળ્યા બાદ લોકો કહી રહ્યા છે કે હે ભગવાન આવો પિતા તું કોઈ બાળકને ના આપતો. તો આવો શા માટે લોકો આવુ કહી રહ્યા છે અને આ પિતાએ શું હરકતો કરી છે. આ વાત છે ઉત્તરપ્રદેશના કાનપુરની કે ત્યાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ક્રૂર પિતાએ તેના ત્રણ વર્ષના દીકરાને ખરાબ રીતે માર માર્યો અને પછી તેને જમીન પર પછાડીને તેની હત્યા કરી નાખી.

image source

મળતી વિગત પ્રમાણે આખી ઘટનામાં બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે તેના પિતાની પથારી પર પેશાબ કર્યો હતો. ઘટના પછી આરોપીએ ઘરમાં હાજર પત્ની અને બે દીકરીને ધમકી આપી કે જો આ વાત ઘરની બહાર જશે તો આખાય પરિવારને મારી નાખશે. આંખોની સામે જ દીકરાને મરતા જોઈને માતાથી રહેવાયું નહીં. તેણે તેના ભાઈ દ્વારા પોલીસને માહિતી આપી, પણ પોલીસે ઘટનાસ્થળે પહોંચતાં પહેલાં આરોપી પરિવાર સહિત હમીરપુર ફરાર થઈ ગયો.

image source

જો કે જેવી જ આ ઘટનાની જાણ થઈ કે તરત જ હમીરપુર પોલીસે બુધવારે રાતે આરોપીની ધરપકડ કરીને કાનપુર પોલીસને સોંપી દીધો હતો. આ કેસ વિશે વાત કરતાં એસપી ગ્રામીણ બૃજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે હમીરપુર પોલીસે ઘટનાની માહિતી ઘાટમપુર પોલીસને આપી હતી, જેની પર એક ટીમે હમીરપુર જઈને સંતરામની ધરપકડ કરી બાળકની લાશને કબજામાં લીધી હતી. સંતરામે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

image source

પ્રાપ્ય માહિતી અનુસાર હમીરપુર જિલ્લાના છાની ખુર્દમાં રહેનાર સંતરામ પ્રજાપતિ મજૂરીકામ કરે છે. પરિવારમાં પત્ની અનીતા, બે દીકરી અંજના તથા ખુશી તથા એકમાત્ર પુત્ર રવીન્દ્ર(3 વર્ષ)હતાં. સંતરામ થોડાક દિવસ પહેલાં જ ઘાટમપુર ખાતે હથેરુઆ ગામની પાસે આવેલા એક ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કરવા માટે આવ્યો હતો. તે પરિવાર સાથે ભઠ્ઠા પર કાચા મકાનમાં રહેતો હતો. આ સમગ્ર ઘટનાની વાત કરતાં અનીતાએ જણાવ્યું હતું કે મંગળવારની સવારે દીકરા રવિનેદ્રએ તેના પિતાની પથારીમાં પેશાબ કર્યો હતો, એને કારણે સંતરામની ઊંઘ ઊડી ગઈ. તે એટલો નારાજ થઈ ગયો કે દીકરાને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું.

image source

માર મારવાનું શરૂ હતુ અને બાળક રડી રહ્યો હતો અને બાળકના રડવાનો અવાજ સાંભળીને પાસે સૂતી દીકરીઓની ઊંઘ પણ ઊડી ગઈ અને તે તેના ભાઈને બચાવવા માટે પિતાને વિનંતી કરવા લાગી. તો નફ્ફટ સંતરામે દીકરીઓને પણ ઢોર માર માર્યો. અનીતાએ પણ દીકરાને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને પણ ઢોર માર માર્યો. પછી સંતરામ કાબૂ ખોઈ ચૂક્યો હતો. તેણે પળભરનો પણ વિચાર ન કર્યો અને દીકરાને જમીન પર પછાડી દીધો અને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તેનું મોત ન થઈ ગયું. એમાં પણ એવું કર્યું કે મોત પછી સંતરામે એક લોડરમાં આખા પરિવારને બેસાડ્યો અને બેગમાં લાશ લઈને ગામ છાની ખુર્દ ચાલ્યો ગયો. તેને ધમકી આપી હતી કે જો દીકરાની હત્યાની વાત ઘરની બહાર જશે તો પરિવારને મારી નાખશે.

પણ આ વાક કંઈ નાની નહોતી અને પછી પત્ની અનીતાએ તક જોઈને બુધવારે સાંજે તેના ભાઈ અજયને ફોન પર આખી વાત જણાવી. ત્યાર પછી ભાઈ અજયે અન્ય પરિવારજનો સાથે ગામે પહોંચીને આરોપી સંતરામને પકડીને ઢોર માર માર્યો અને હમીરપુર પોલીસને ઘટનાની જાણ કરી. હમીરપુર પોલીસે લાશને કબજામાં લીધી અને સંતરામની ધરપકડ કરીને ઘાટમપુર પોલીસને સોંપી દીધો. સંતરામ પર હત્યાનો કેસ કરીને જેલભેગો કરી દેવાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત