અજમેર રેલવે જંકશનમાં ફરજ બજાવતા આ ટિકિટ નિરીક્ષકની કામગીરીને રેલવે તંત્રએ પણ વખાણી
Indian Railways : અજમેર રેલવે જંકશન ની રેલવે ટીકીટ ચેકિંગ બ્રાન્ચ ના મહિલા ટિકિટ નિરીક્ષક અંકિતા કપૂરે આખા ઝોનમાં ટિકિટ વગર યાત્રા કરતા મુસાફરોને પકડી પાડી સૌથી વધુ કેસ નોંધ્યા છે. ટિકિટ નિરીક્ષકની આ કામગીરીને કારણે તેઓને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે. મહિલા ટિકિટ નિરીક્ષક અંકિતા કપૂરને ટિકિટ વગર યાત્રા કરતા મુસાફરો પર કાયદેસરના કેસ કરવા બદલ રાજ્સ્વ અર્જીત કરવા માટે ઉત્તર પશ્ચિમ રેલવે ના પ્રમુખ વાણિજ્ય પ્રબંધક અર્ચના શ્રીવાસ્તવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
વૈશ્વિક મહામારી કોરોના ને કારણે એક બાજુ ટ્રેનનું આવન-જાવન પણ બહુ મુશ્કેલીથી થઈ રહ્યું છે. ત્યારે આવી ચાલી રહેલી ટ્રેનોમાં ટિકિટ વગર યાત્રા કરતા મુસાફરો પર રેલવે તંત્ર તરફથી લગામ કસવામા કોઈ કસર નથી છોડવામાં આવી રહી. આ બાબતે અને વિષય અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા રેલવે કર્મચારીઓને રેલવે વિભાગ દ્વારા ઝોનલ સ્તરે સન્માનિત કરી રહ્યું છે.
આ વિષય અંતર્ગત તાજેતરમાં એક મામલો જ ઉત્તર પશ્ચિમ રેલવે એટલે કે north western railway ના ajmer junction ની ટીકીટ ચેકિંગ બ્રાંચ તરફથી સામે આવ્યો છે. અહીંના ટિકિટ ચેકીંગ બ્રાન્ચના સ્ટેશનરી બ્રાન્ચના મહિલા ટિકિટ નિરીક્ષક અંકિતા કપૂરે આખા ઝોનમાં સૌથી વધુ ટિકિટ વગર મુસાફરી કરતા યાત્રીઓને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. અંકિતા કપૂરની આ કામગીરી બદલ એમને રાજસ્વ અર્જીત કરવા માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
ટિકિટ નિરીક્ષક અંકિતા કપૂરે અજમેર જંકશન ઝોનમાં ટિકિટ વગર મુસાફરી કરતા યાત્રીઓને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બાબતે અને વિષય અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા રેલવે કર્મચારી અંકિતા કપૂરને રેલવે વિભાગ દ્વારા ઝોનલ સ્તરે ઉત્તર પશ્ચિમ રેલવે ના પ્રમુખ વાણિજ્ય પ્રબંધક અર્ચના શ્રીવાસ્તવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીં એ પણ નોંધનીય છે કે મહિલા ટિકિટ નિરીક્ષક અંકિતા કપૂરે આ સર્વાધિક રેકોર્ડ ઓગસ્ટ મહિનામાં ઝોનલ વિભાગમાં બનાવ્યો હતો.
આ અંગે ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી એવા શશી કિરણ એ જણાવ્યું હતું કે, ટિકિટ નિરીક્ષક અંકિતા કપૂરે અજમેર જંકશન ઝોનમાં ટિકિટ વગર મુસાફરી કરતા યાત્રીઓને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઓગસ્ટ મહિનામાં કુલ 123 કેસો નોંધ્યા હતા. અને આ કેસોના આધારે ટિકિટ વગર મુસાફરી કરતા પકડાયેલા મુસાફરો પાસેથી 47 હજાર 960 રૂપિયા દંડ પેટે વસૂલી રાજસ્વ અર્જિત કર્યું હતું. આ કામગીરી બદલ પ્રમુખ CCM, ઉત્તર પશ્ચિમ રેલવે તરફથી અંકિતા કપૂરને 1100 રૂપિયા રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.