કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર સાબિત થઇ વધુ ધાતક, જાણો ત્રીજી લહેર વિશે શું કહ્યું જ્યંતિ રવિએ..
દેશના અન્ય રાજ્યોની જેમ કોરોના ની બીજી લહેર ગુજરાત માટે પણ ભયાનક સાબિત થઇ છે. જો કે બીજી લહેરને લઈ ને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. એટલે કે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના નવા કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે.
જો કે કોરોનાની બીજી લહેર માં જે હાહાકાર મચ્યો ત્યાર બાદ હાઈકોર્ટે સરકારને ફટકાર પણ લગાવી હતી. આ સિવાય બીજી લહેરને ભયાનક સ્થિતિ જોઈ સરકાર પણ અત્યાર થી ત્રીજી લહેરને લઈ ને અત્યાર થી તૈયારી કરી રહી છે.
સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો જોડાયા હતા.
બેઠકમાં ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
આ તમામ તજજ્ઞો સાથે મળી સરકાર અત્યારથી ત્રીજી લહેર ને લઈ ને તૈયારી શરૂ કરવા ઈચ્છે છે જેથી ત્રીજી લહેર માં ગુજરાતની જનતા ને ઓછા માં ઓછી તકલીફ પડે. રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે. આ ટાસ્ક ફોર્સના તબીબો અગાઉ પણ રાજ્ય સરકારને કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, મેડીસીન મેનેજમેન્ટ વિગેરે અંગે જરૂરીયાત મુજબ માર્ગદર્શન અને સેવાઓ આપતા રહ્યા છે.
#VaccinationUpdate
Even after completing the course of #CovidVaccine, it is mandatory to follow “Covid Appropriate Behaviour” at all times to ensure safety of yourself and your loved ones.#VaccinationForAll #COVIDAppropriateBehaviour @MoHFW_INDIA @CMOGuj pic.twitter.com/ne8IIdnwR1— Jayanti Ravi (@JayantiRavi) May 10, 2021
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની સંભવીત ત્રીજી લહેર જો આવે તો તેની શરૂઆતથી જ ટ્રીટમેન્ટ, પ્લાનિંગ અને મેડિસિનથી માંડીને અન્ય આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમયબદ્ધ પ્લાનિંગ માટે આ બેઠકમાં તજજ્ઞો સહિત સૌ સાથે પરામર્શ વિમર્શ કર્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!